વિદેશી વેપારનીતિના ષડયંત્રમાં ભારતના લોકો ફસાઈ રહ્યા છે: સ્વદેશી જાગરણ મંચે આગળ આવવું પડશે
આજે ગિફ્ટ અને ભેટ સોગાદોના નામે બિનજરૂરી ચીજ વસ્તુઓના વેચાણ દ્વારા ભારત જેવા દેશોમાં વિદેશના વેપારી એક મોટા બજારની સંભાવના જોઈ રહ્યા છે, જેના દ્વારા ભારતમાં વેપાર કરી શકાય અને ભારતના લોકો આ વેપારી ષડયંત્રમાં આવી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે આવી ચીજ વસ્તુઓ એક હાથથી બીજા હાથ હસ્તાંતરણ સિવાય બીજા કોઈ ઉપયોગમાં આવતી નથી. જન્મદિવસ હોય કે કોઈ તહેવાર હોય આવી બિનજરૂરી ભેટ સોગાદોનું ચલણ હમણાં ખૂબ વધી ગયું છે, આવી સ્થિતિમાં સ્વદેશી જાગરણ મંચે આગળ આવવું પડશે અંને ભારતના લોકોને આ ષડયંત્રથી સાવચેત કરવા પડશે.
નાતાલમાં સાન્તાક્લોઝ બાળકો માટે બહુ રમકડા અને ચોકલેટ લઈને આવે છે, બાળકોની આવી અનુચિત ધારણા હોય છે. ક્રિસમસની રાત્રે સૌથી વધારે પ્રિય હોય તેવી ભેટ વસ્તુઓની મનોકામના કરવાનું કહેવામાં આવે છે. સાન્તાક્લોઝ આવી જે ક્રિસમસ ટ્રી પાસે આ ભેટ વસ્તુઓ મૂકી જાય છે એવું કહેવામાં આવે છે. વાસ્તવમાં આ ભેટ વસ્તુઓ ક્યારેય પ્રાપ્ત થતી હોતી નથી, બાળકોની ખુશી માટે તેમના માતા પિતા જ ક્રિસમસ ટ્રી પાસે ભેટ વસ્તુઓ રાખી દેતા હોય છે. માતા-પિતાએ સાન્તાક્લોઝ અને આ ભેટ વસ્તુઓનો જુઠ્ઠા સંબંધોની બાળકોને સમજ આપવી જોઈએ, પરંતુ ચોથી સદીથી તુર્કીસ્તાનના મીરાનગર થી સાન્તાક્લોઝ ની આવી ભેટપ્રથાનો પ્રારંભ થયો. આવા માનસિક ધર્માંતરિત થયેલા બાળકો આગળ જતા સનાતન હિંદુ ધર્મની પરંપરાઓની મજાક ઉડાવવામાં પોતાને ધન્યતા અનુભવતા હોય છે અને આવા બાળકો બુદ્ધિવાદી અને નિર્ધમવાદી બનીને એક પ્રકારની રાષ્ટ્ર અને ધર્મ ઉપર આઘાતો કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech