જામનગર આયુર્વેદ અને ગુજરાત રાજ્ય માટે ગૌરવપ્રદ
ઇટ્રાના ડેપ્યુટી ડાયરેક્ટર (ફાર્મસી) ડૉ. જોબન કિશોર મોઢાની રાષ્ટ્રીય હળદર બોર્ડના સભ્ય તરીકે નિયુક્તિ
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે રાષ્ટ્રીય હળદર બોર્ડની શરૂઆત કરી
ભારત સરકારના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે મકરસંક્રાંતિના દિને નવી દિલ્હીમાં રાષ્ટ્રીય હળદર બોર્ડની શરૂઆત કરી. બોર્ડના પ્રથમ અધ્યક્ષ તરીકે શ્રી પલ્લે ગંગા રેડ્ડીની જાહેરાત કરી હતી. બોર્ડનું મુખ્યાલય નિઝામાબાદ ખાતે સ્થાપવામાં આવ્યું છે. ગોયલે કહ્યું કે રાષ્ટ્રીય હળદર બોર્ડનું ઉદ્ઘાટન સમગ્ર દેશમાં એક શુભ દિવસે થઈ રહ્યું છે. રાષ્ટ્રીય હળદર બોર્ડમાં વિવિધ મંત્રાલયોના પ્રતિનિધિઓને પણ સામેલ કરવામાં આવશે. જામનગર સ્થિત આયુષ મંત્રાલય હેઠળની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ એટલે કે ઇટ્રાના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. જોબન કિશોર મોઢાની રાષ્ટ્રીય હળદળ બોર્ડના સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે જે માત્ર જામનગર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે એક ગૌરવપ્રદ બાબત છે. આ તકે સંસ્થાના ઇન્ચાર્જ નિયામક પ્રો. બી. જે. પાટગીરી દ્વારા ડૉ. જોબન કિશોર મોઢાને અભિનંદન સહ: શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
હળદર બોર્ડની રચનાના પ્રસંગે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી બંડી સંજય કુમાર અને નિઝામાબાદના સાંસદ અરવિંદ ધર્મપુરી પણ હાજર હતા. ભારત વિશ્વમાં હળદરનો સૌથી મોટો ઉત્પાદક, વપરાશકરતા અને નિકાસકાર છે અને વિશ્વ વેપારમાં તેનો હિસ્સો 62 ટકાથી વધુ છે. 2023-24 દરમિયાન દેશમાંથી 226.5 મિલિયન ડૉલરની કિંમતની 1 લાખ 62 હજાર ટન હળદર અને હળદરના ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech