અગ્રણીઓ દ્વારા કલેક્ટર તથા પીજીવીસીએલના અધિકારીઓને રજૂઆત: લોકોના વિજઉપકરણો નાશ પામવાથી આર્થિક નુકશાન થતા ખેડૂતોમાં રોષ: તંત્ર ઝડપી પગલા લ્યે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદથી ખાનાખરાબી થતા પી.જી.વી.સી.એલ.ના તંત્ર દ્વારા તાકીદે મોટી સંખ્યામાં અન્ય જિલ્લાઓમાંથી ટિમો મોકલીને સમારકામ શ કરાયું હતું. પરંતુ હાલ પણ આવડી ટીમોની કામગીરી પછી પણ ખંભાળીયાના ગ્રામ્ય પંથકમાં વીજ વાયરો લટકવા, વાયર પર વૃક્ષો, સાધનો તૂટેલા અસ્તવ્યસ્તની સ્થિતિ રહેતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ છે.
ખંભાળીયા તાલુકાના કેશોદ સહિત કેટલાય એવા ફીડર છે જેમાં એગ્રીકલ્ચર ફીડરમાં સતત એક કલાક પણ પાવર ચાલુ ના રહેતો હોય વારંવાર વીજ પુરવઠો ખોરવાતા તથા વોલ્ટેજ વધઘટ થતા રોજ દરેક ગામમાં 8/10 ખેડૂતોની ઇલેક્ટ્રિક મોટરો સળગી જવાનું થતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ થઈ છે. વરસાદ હવે ના આવતા મગફળીને છેલ્લા પાણી પીવડાવા પડે તેમ છે ત્યારે જ વીજ પુરવઠો રેગ્યુલર નથી આવતો તો ઇલેક્ટ્રિક મોટરો બળી જતા રીપેરીંગ વાળાને ત્યાં કતારો લાગી છે.
આ બાબતે અગ્રણી દ્વારા જિલ્લા કલેક્ટર તથા પી.જી.વી.સી.એલ.ના સુપ્રી.ઈજનેર જામનગર તથા કાર્યપાલક ઇજનેરને જાણ કરતા તેમના દ્વારા વધુ ટુકડી મંગાવીને કામ પૂર્વવત કરી વીજ પુરવઠો ફરીથી યોગ્ય રીતે ચાલુ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. ગ્રામ્ય પંથકમાં ખેતીવાડી વીજ જોડાણો વાળા આ વખતે માંગ્યો વરસાદ આવતા ખેડૂતોને છેવટે વીજળીની જરૂર પડી છે. ત્યારે વીજળી વેરણ થતા ભારે પરેશાની થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરોકાણકારોને અમેરીકાએ ટેન્શન આપ્યું: સેન્સેક્સ 1005, નિફ્ટી 304 પોઈન્ટ ડાઉન,
May 22, 2025 02:39 PMજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં 2 આતંકીઓ ઠાર
May 22, 2025 02:38 PMશેર ટ્રેડિંગમાં રોકાણમાં 18.90 લાખની છેતરપિંડીના આરોપીના આગોતરા મંજૂર
May 22, 2025 02:34 PMખંભાળિયામાં તંત્ર દ્વારા કેટલાક અસામાજિક તત્વોના ગેરકાયદેસર મકાનો ઉપર ફેરવાયું બુલડોઝર
May 22, 2025 02:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech