શરૂઆતના અહેવાલો અનુસાર, એન્કાઉન્ટર સ્થળે ત્રણથી ચાર આતંકવાદીઓ છુપાયેલા હોવાની બાતમી હતી. તેમાંથી એકની ઓળખ કુખ્યાત આતંકવાદી સૈફુલ્લાહ તરીકે થઈ છે. એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે અને અન્ય આતંકવાદીઓને શોધવા માટે વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. આતંકવાદીઓ કોઈપણ રીતે ભાગી ન શકે તે માટે તમામ માર્ગો સીલ કરી દેવામાં આવ્યા છે.
આ એન્કાઉન્ટરના એક અઠવાડિયા પહેલા જ, સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારના નાદિર ગામમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તેમની ઓળખ આસિફ અહેમદ શેખ, અમીર નીર વાની અને યાવર અહેમદ ભટ તરીકે થઈ છે. તે બધા પુલવામાના રહેવાસી હતા.
વધુમાં, 13 એપ્રિલના રોજ શોપિયાના જિનપથર કેલર વિસ્તારમાં થયેલા અન્ય એક એન્કાઉન્ટરમાં, લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જેમાંથી બેની ઓળખ શાહિદ કુટ્ટે અને અદનાન શફી તરીકે થઈ હતી.
૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલામાં ૨૬ નિર્દોષ નાગરિકોના મોત બાદ દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે. આ હુમલા બાદ, સુરક્ષા દળોએ આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા માટે અનેક મોટા ઓપરેશન શરૂ કર્યા છે.
આતંકવાદ સામેના આ વ્યાપક અભિયાનના ભાગ રૂપે, જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે આતંકવાદીઓ સાથે સંકળાયેલા લોકોની મિલકતોને તોડી પાડવાનું પણ શરૂ કરી દીધું છે. આ પગલું આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવા માટે લેવામાં આવ્યું છે જેથી ભવિષ્યમાં કોઈ વ્યક્તિ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થતા પહેલા બે વાર વિચારે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech