એનડીપીએસના કેસમાં નામ નહીં ખોલાવવા પૈસા માંગ્યા
જામનગર શહેરમાં નકલી પોલીસ અંગેનો વધુ એક ગુનો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. જામનગરના નવી વાસ વિસ્તારમાં રહેતા કટલેરીના એક વેપારીને એસ.ઓ.જી.ના રાઈટર તરીકેની ખોટી ઓળખ આપી એક શખ્સે તેની પાસેથી કટકે કટકે એક લાખ સતાવન હજારની રકમ પડાવી લીધા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
કટલેરીના વેપારીના મામા નારકોટિકના કેસમાં જેલમાં હોવાથી તેમાં તેનું નામ નહીં ખોલાવવા માટે પૈસા માંગ્યા હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે દરબારગઢ પોલીસ ચોકી નો સ્ટાફ વધુ તપાસ ચલાવી રહ્યો છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે.કે જામનગરમાં નવી વાસ વિસ્તારમાં રહેતા અને કટલેરી નો વેપાર કરતાં મોહમ્મદ રિયાન ઇમ્તિયાઝભાઈ શેખ નામના ૧૯ વર્ષના યુવાને પોતાની સાથે જામનગર એસ.ઓ.જી. અધિકારીના રાઈટર તરીકેની ખોટી ઓળખ આપી પોતાની પાસેથી કટકે કટકે ૧,૫૭. લાખની રોકડ રકમ પડાવી લેવા અંગે મોબાઈલ નંબર ૯૮૭૫૨૧૮૭૮૭ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરી/યાદી યુવાન મોહમ્મદભાઈ શેખના મામા કે જેઓ છેલ્લા ૧૦ માસથી ડ્રગ્સ અંગેના કેસમાં જામનગરની જિલ્લા જેલમાં છે, જેને જેલમાં જઈને મદદ કરવા અંગે તેમ જ પોતાના મામા સાથે આ કેસમાં સંડોવાયેલા છે, અને તેમાં તેનું નામ કઢાવી નાખવા અંગે અજાણ્યા શખ્સ દ્વારા ફરિયાદી પાસે પૈસાની માંગણી કરાઈ હતી. ફરિયાદી વેપારી યુવાનનું પોતાના મામા સામેના કેસમાં નામ નહીં જોડવા અંગે ગુગલ પે મારફતે કટકે કટકે પૈસા માંગ્યા હતા.
જે રકમ આપી દીધા પછી પણ હજુ પૈસાની માંગણી કરાતા આખરે મોહમ્મદ રિયાને જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકના સંપર્ક સાદ્યો હતો, અને ઉપરોક્ત મોબાઈલ નંબર ના ધારક સામે ફરિયાદ નોંધાવી હતી,ય જે ફરિયાદના અનુસંધાને દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ.ડી.જીમજ રામાનુજ તેમ જ ભવ્યદીપસિંહ પરમાર વગેરે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે, અને આરોપીના મોબાઈલ નંબરના આધારે તેને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે. નજીકના ભવિષ્યમાં જ આ ઘટના પરથી પડદો ઉચકાય તેમ મનાઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech