શખ્સ સામે પોલીસ ફરિયાદ : તપાસમાં ખેતી અને બાંધકામ કર્યાનું ખુલ્યું
કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી ગામે રહેતા રાજશી પુંજાભાઈ છૈયા નામના શખ્સ દ્વારા આ જ ગામની સરવે નંબર ૧૩૫ (જુના સરવે નંબર ૯૦-૧-૧) વાળી આશરે ૧૦ વીઘા જેટલી સરકારી પડતર જમીન ઉપર છેલ્લા ઘણા સમયથી અનધિકૃત રીતે કબજો જમાવીને અહીં ખેતીકામ તથા બાંધકામ કરવામાં આવ્યું હોવાનું ખુલવા પામ્યું છે.
આ અંગે કલ્યાણપુરના મામલતદાર ભરતકુમાર મોહનલાલ ખાનપરાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે કાનપર શેરડી ગામના રાજશી છૈયા સામે ૩.૫૫ લાખની કિંમતની જમીન ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવા સબબ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ (લેન્ડ ગ્રેબિંગ)ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ એ.એસ.પી. રાઘવ જૈન ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech