અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સિહોર, પાલીતાણા અને મહુવા સહિત ભાવનગર રેલવે ડિવિઝનના ૬ રેલવે સ્ટેશનનુ નવીનીકરણ કરાયુ છે.જેનુ વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવનગર સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી, જિલ્લા ભાજપના હોદેદારો, રાજકીય અગ્રણીઓ, વહીવટી તંત્ર અને રેલ તંત્રના અધિકારીઓ તેમજ લોકો સહિતનાઅલ્યા ઉપસ્થિત રહ્યા હતા. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભાવનગર રેલવે ડિવિઝનના ઓળખ કરવામા આવેલા ૧૭ પૈકીના સિહોર, પાલિતાણા, મહુવા, રાજુલા, જામજોધપુર અને લીંબડી રેલવે સ્ટેશનની અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત નવીનીકરણ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મની લંબાઈ, ઊંચાઈ વધારાઈ છે. વેઈટીંગ રૂમ બનાવાયા છે.આ ઉપરાંત દિવ્યાંગજનો માટે પણ વિશેષ સુવિધા વિકસીત કરાઈ છે. યાત્રિકોની સુવિધાઓમાં વધારો કરવામા આવ્યો છે. ભાવનગર ડિવિઝનના નવનિર્માણ પામેલા ૬ રેલવે સ્ટેશનનુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામા આવ્યું હતું. સિહોર રેલ્વે સ્ટેશન ખાતે યોજાયેલા સમારોહમાં ભાવનગર-બોટાદના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી, જિલ્લા, શહેર ભાજપના હોદેદારો, રાજકીય અગ્રણી ઓ, સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ,રેલ્વે તંત્રના અધિકારીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહુવા રેલવે સ્ટેશનમાં નવનિર્માણ પામી રહેલા બીજા પ્લેટફોર્મથી યાત્રિકોની સુવિધાઓમાં વધારો થશે. અને આગામી સમયમાં લાંબા અંતરની ટ્રેન સુવિધા ઉભી કરવામાં આવનાર હોવાનું જણાવાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech