જામનગરના એસ.પી. દ્વારા જિલ્લાના પોલીસ તંત્રમાં ફરીથી ગંજીપો ચીપવામાં આવ્યો છે, અને જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા ૭ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક ફેરબદલીઓ કરી છે.
જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા ગઈકાલે એકી સાથે સાત પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીઓ ના ઓર્ડર કાઢ્યા હતા. જેમાં જામનગરના લિવ રિઝર્વમાં રહેલા પી.આઈ. વી.એસ. પટેલ ને શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે કાલાવડ ગ્રામ્યના પીઆઇ એન. બી. ડાભીની બદલી સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવી છે, આ ઉપરાંત સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. જે. જે. ચાવડાને સિક્કા પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત લિવ રિઝર્વ માં રહેલા પીઆઇ વી.બી. ચૌધરીની બેડી મરીન પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. ઉપરાંત એ એચ.ટી.યુ વિભાગના પી.આઇ. આય.જે વાઘેલા ની બદલી એલ.આઈ.બી. શાખામાં કરવામાં આવી છે. તેમના સ્થાને લીવ રિઝર્વમાં રહેલા એ. એ. ખોખરને એ.એચ.ટી.યૂ. માં મુકવામાં આવ્યા છે. ઉપરાંત શેઠ વડાળા પોલીસ સ્ટેશનના પી.આઇ. પી.જે. પનારાની બદલી કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech