ભારતીય સ્ટેટ બેંકે યસ બેંકમાં પોતાની હિસ્સેદારી વેચવાનો નિર્ણય કર્યો છે. SBI ₹8,889 કરોડના શેર જાપાની બેંકને વેચવાની જાહેરાત કરી છે, જેની અસર યસ બેંકના શેરો પર જોવા મળી રહી છે.
યસ બેંક પર ફરી એકવાર ખતરો મંડરાઈ રહ્યો છે. SBI બેંક યસ બેંકમાંથી લગભગ 13 ટકા હિસ્સેદારી જાપાની બેંકને વેચવાનો નિર્ણય કર્યો છે. ભારતીય સ્ટેટ બેંક યસ બેંકમાં પોતાના ₹8,889 કરોડના લગભગ 413 કરોડ ઇક્વિટી શેર જાપાની બેંક SMBCને વેચવાનો નિર્ણય લીધો છે. SBIના આ નિર્ણયની અસર યસ બેંક પર પડશે.
ભારતીય સ્ટેટ બેંકે કહ્યું કે તે યસ બેંકમાં પોતાની 13.19 ટકા હિસ્સેદારી જાપાનની બેંકિંગ એન્ડ ફાઇનાન્સ કંપની સુમિતોમો મિત્સુઇ બેંકિંગ કોર્પોરેશનને વેચી રહી છે. બેંક જાપાની ફાઇનાન્સ કોર્પોરેશનને ₹8,889 કરોડના શેર ₹21.50 પ્રતિ શેરના ભાવે વેચી રહી છે, જેમાં કુલ 413 કરોડના ઇક્વિટી શેર ટ્રાન્સફર થશે.
SMBCના રોકાણથી ફાયદો
ભારતીય સ્ટેટ બેંકે વર્ષ 2020માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કહેવા પર યસ બેંકમાં હિસ્સેદારી ખરીદી હતી. હવે બેંકે પોતાની હિસ્સેદારી જાપાની બેંકને વેચવાનો નિર્ણય કર્યો છે. જાપાનની સૌથી મોટી બેંકોમાંની એક SMBCની કુલ સંપત્તિ $1.7 ટ્રિલિયન એટલે કે ₹1,452,11,45,00,00,000થી વધુ છે અને તે એશિયા-પેસિફિક ક્ષેત્રના 15 દેશો સહિત 39 દેશોમાં પોતાની સેવા આપે છે. યસ બેંકમાં તેની હિસ્સેદારીથી બેંકને ફાયદો થશે. આ સમાચારની અસર બેંકના શેરો પર પણ જોવા મળી.
યસ બેંકના શેરોમાં તેજી
SBI દ્વારા યસ બેંકમાંથી પોતાની હિસ્સેદારી જાપાની બેંકને વેચવાના સમાચારની અસર આજે જોવા મળી. જ્યાં એક તરફ શેર બજાર 880.34 પોઈન્ટના ઘટાડા સાથે 79,454.47 પર બંધ થયો. તો બીજી તરફ યસ બેંકના શેરોમાં તેજી જોવા મળી. આજે યસ બેંકના શેર લગભગ 10 ટકાની તેજી સાથે ₹20 પર આવી ગયા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅગ્રણી મીડિયા હાઉસની સાથે જોડાયેલા જૂથો પર ઇન્કમટેક્સના મોટાપાયે દરોડા
May 14, 2025 11:09 AMજામનગરમાંથી સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચરનારને ૧૦ વર્ષની સજા
May 14, 2025 11:06 AMજામનગર જિલ્લાના ચાર ટીડીઓની બદલી
May 14, 2025 11:04 AMસુપર કોમ્પ્યુટરે જણાવ્યું: પૃથ્વી પર એક અબજ સુધી જ જીવનની શક્યતા
May 14, 2025 11:02 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech