જામનગર શહેરમાં નદીના કાંઠાના વિસ્તારોમાં અગાઉ દબાણો ઉપર બુલડોઝર ફેરવાયું હતું જેમાં શહેરમાં બચુનગરમાં આજે સવારે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, સીટી ઇજનેર ભાવેશ જાની, નાયબ કમિશ્નર મુકેશ વરણવા સહિતના અધિકારીઓએ એક ફાર્મહાઉસની તપાસ કરતા તેમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતાં અને એક લકઝરીયસ ટાઇપ ધાર્મિક સ્થળ અગાઉ તોડાયું હતું ત્યાં ફરી લોબાન અને ધુપ દીવા થયા હતાં, એટલે આજે મ્યુ.કમિશ્નરે કડક આદેશ આપીને આ જગ્યા ઉપર બુલડોઝર ફેરવી નાખ્યું હતું.
આ સમયે મજબુત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, આગામી દિવસોમાં પણ હજુ કેટલાક રાજકીય મોટા માથાઓના થઇ ગયેલા ગેરકાયદેસર બાંધકામો ઉપર જામ્યુકોનું બુલડોઝર ફરી વળશે અને આ અંગે કોર્પોરેશનના અધિકારીઓ ચુપકીદીથી પ્લાન બનાવી રહ્યા છે, જર પડયે પોલીસનો બંદોબસ્ત ગોઠવીને આ પાડતોડની કામગીરી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભાડૂઆતો માટે મહત્વપૂર્ણ સમાચાર! આવું નહીં કરો તો 1,00,000નો ભારે દંડ થઈ શકે છે
March 09, 2026 05:44 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
