સલાયાનાં મુખ્ય માર્ગ બસ સ્ટેશનથી કરીને કસ્ટમ અને બંદર સુધીમાં અનેક ચાલુ વીજ વાયરો નીચે જુલે છે. જે અકસ્માતને નિમંત્રણ આપે છે. આ રોડ બંદર તેમજ મુખ્ય બજારને જોડતો રોડ છે. અહીંથી અવારનવાર મોટા વેપારીના માલના ટ્રકો આવે છે. જે ઊંચાઈ વાળા હોય છે. આ જૂલતા વીજ વાયરો આં ટ્રકોને અડકે છે અને અકસ્માત થવાનો ભય રહે છે.
આ બાબતે પીજીવીસીએલને જાણ કરવા છતાં આં વીજ વાયરો ખેંચીને ટાઇટ કરવામાં વીજ તંત્રને આળસ થાય છે. ઇન્ડીયન ઈલેક્ટ્રીસીટી રૂલ્સ 1956 નાં કલમ 77 મુજબ શેરીમાં વીજ વાયરોની ઓછામાં ઓછી ઊંચાઈ જે વાયર 6.1 મિટર હોવી ફરજિયાત છે. પરંતુ સલાયામાં આં મુખ્ય માર્ગો ઉપર અનેક વાયરો 5 મીટરથી પણ નીચા છે જે અકસ્માતને નિમંત્રણ આપી રહ્યા છે. માટે આ વીજ વાયરો વહેલી તકે ઉચા કરવા જોઈએ અને નિયમનું પાલન કરવું જોઈએ.
વીજ તંત્રને આં બાબતે રજૂઆત કરવા છતાં આં કાર્ય થયું નથી. જાણે વીજ તંત્રએ નક્કી જ કર્યું હોઈ કે આપ જો કુછ ભી કરો, હમ નહિ સુધરેંગે...! જેવો માહોલ ઉભો થયો છે. આ વિજ વાયરો કોઈ અકસ્માતનો ભોગ બને એની રાહ જોઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઝેલેન્સ્કીની જેમ જ ટ્રમ્પ ઓફિસમાં દ. આફ્રિકાના પ્રમુખ સાથે બાખડ્યા, જાણો કારણ
May 22, 2025 11:33 AMમોત માત્ર વેત છેટું હતું, ટીએમસી નેતાએ વર્ણવ્યો ફ્લાઇટના ઈમરજન્સી લેન્ડિંગનો અનુભવ
May 22, 2025 11:14 AMબરડામાં સિંહોનું નવું ઘર વસાવાની સરકારની કામગીરી પ્રશંસનીય: પરિમલ નથવાણી
May 22, 2025 11:09 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech