રૂપાલા વિવાદમાં ભાજપ હાઇ કમાન્ડ દ્રારા ભલે પરસોતમભાઇને કલીનચીટ આપી દેવામાં આવી છે, પરંતુ ક્ષત્રિય સમાજનો વિરોધ ઠરવાનું નામ લેતો નથી, આજે દેવભુમિ દ્રારકાના હેડ કવાર્ટર ખંભાળીયા ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે રાજપૂત સમાજના ૪૦૦ થી ૫૦૦ જેટલા યુવાનોએ એકત્ર થઇને કાળા વાવટા ફરકાવી રૂપાલા મુદે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો, સુત્રોચ્ચાર કર્યા હતાં, આટલું જ નહીં કાર્યક્રમ સ્થળે અંદર ઘુસીને અફરાતફરીનો માહોલ સર્જી દીધો હતો, ખુરશીઓ પણ ઉંધી વાળી દીધી હતી. એકાએક વિરોધનો આ કાર્યક્રમ થવાના કારણે ભાજપના સ્થાનિક આગેવાનો અને પોલીસ પણ અચંબામાં રહી ગઇ હતી, આમ રૂપાલાના મુદે સી.આર.પાટીલને કડવો અનુભવ થયો છે.
જામખંભાળીયા ખાતે ભાજપ દ્રારા નવું ચૂંટણી કાર્યાલય બનાવવામાં આવ્યું છે, દ્રારકેશ કમલમ નામના આ કાર્યાલયનું ઉદઘાટન આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે સવારે ૧૧ કલાકે કરવામાં આવ્યું હતું, એક તરફ પાટીલે રીબીન કાપી હતી, તો બીજી તરફ કાર્યક્રમ સ્થળની બહાર ક્ષત્રિય સમાજના ૪૦૦ થી ૫૦૦ જેટલા યુવાનો એકાએક ઉમટી આવ્યા હતા અને કાળા વાવટા ફરકાવીને વિરોધ કરાયો હતો, સૂત્રોચ્ચાર કરાયા હતા અને ક્ષત્રિય સમાજ વિશે ટીપ્પણી કરનારા પરસોત્તમ રૂપાલાના મુદ્દે આક્રોશ દર્શાવ્યો હતો.
કાળા વાવટા ફરકાવીને વિરોધ કરી રહેલા ક્ષત્રિય યુવાનોએ જય ભવાની, જય રાજપૂતાના જેવા સુત્રો પોકાર્યા હતાં અને પરસોતમ રૂપાલાને રાજકોટની બેઠક પરથી હટાવવાની પોતાની માંગણી દોહરાવી હતી, સી.આર.પાટીલ અંદર જતાં રહ્યા હતાં, ૧૧:૨૦ કલાકે સી.આર.પાટીલ કાર્યક્રમ સ્થળે સ્ટેજ પર આવ્યા હતાં, આ પૂર્વે ધ્વજ લહેરાવ્યો હતો.
એક તરફ કાર્યક્રમ ચાલતો હતો તો બીજી તરફ બહાર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પોલીસ અને વિરોધ કરી રહેલા ક્ષત્રિય યુવાનો વચ્ચે ઉંદર–બીલાડીનો ખેલ ચાલતો હોય તેમ દોડાદોડી થતી હતી, ટોળુ કયારેક એક દિશામાં તો કયારેક બીજી દિશામાં જતું હતું અને પોલીસ માટે પણ એકાએક સામે આવેલો વિરોધનો આ કાર્યક્રમ સરપ્રાઇઝ બની રહ્યો હતો.
કાર્યક્રમ સ્થળે સી.આર.પાટીલનું પ્રવચન ચાલતું હતું, અન્ય આગેવાનોએ પ્રવચન કર્યા હતા, યારે બીજી તરફ કાર્યક્રમ સ્થળની બહાર ક્ષત્રિય સમાજના યુવાનો વિરોધ કરી રહ્યા હતા, લગભગ બપોરના ૧ર કલાક સુધી ક્ષત્રિય યુવાનોનું ટોળું કાર્યક્રમ સ્થળની બહાર હાજર રહ્યું હતું અને આ પછી પાટીલ પરત ગયા એ પહેલા વિરોધ કરનારા તમામ વિખેરાઇ ગયા હતા, આમ ભાજપની દિલ્હીની હાઇ કમાન્ડે રૂપાલા વિવાદને કદાચ હળવાશથી લીધો છે, પરંતુ ગુજરાતના ભાજપના નેતાઓને ખુબ કડવા અનુભવ થઇ રહ્યા છે અને આજે ખુદ સી.આર.પાટીલને પણ વિરોધનો સામનો કરવો પડયો હતો.
આજે જામખંભાળીયામાં જે થયું છે તેના પરથી એક વાત નિિત છે કે, ભાજપની હાઇ કમાન્ડે ભલે પોતાનો નિર્ણય લઇ લીધો હોય પરંતુ ક્ષત્રિય સમાજ રૂપાલાના માથા સિવાય બીજુ ઇચ્છતું નથી એ બાબત લગભગ સ્પષ્ટ્ર થઇ ગઇ છે, એક તરફ ખંભાળીયાનો કાર્યક્રમ થયો તો, બીજી તરફ જામનગર શહેરમાં પણ ક્ષત્રિય સમાજની આજે મૌન રેલી નીકળી હતી.
પ્રદેશ ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં ક્ષત્રિય યુવાનોએ અફરાતફરી સર્જી દીધી હતી અને એક તબક્કે તગં માહોલ થયો હતો, આમ છતાં પોલીસે હાલના સમય સંજોગોને ધ્યાનમાં રાખીને કોઇપણ યુવાનની અટકાયત નહીં કરીને શાણપણ વાપયુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાત સરકારનો નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMજામનગર મનપામાં લાખોટા તળાવની પાળે રેકડીઓ બંધ કરાવવા મામલે વિપક્ષ નગરસેવિકા વિફર્યા
May 14, 2025 05:54 PMસચાણાના યુવકે ઇન્સ્ટામાં વિડીયો શેર કર્યો..અને પોલીસે કરી ધરપકડ.
May 14, 2025 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech