મે અને જુન બંન્ને માસનું વિનામૂલ્યે અનાજ વિતરણ ચાલુ માસમાં કરાશે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (N.F.S.A.) અંતર્ગત સમાવિષ્ટ રેશનકાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ (ઘઉં અને ફોર્ટીફાઈડ ચોખા)નું જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મે અને જુન એમ બંન્ને માસનું વિતરણ ચાલુ માસ એટલે કે મે માસમાં કરવામાં આવશે. ઉપરાંત મે માસના ખાંડ અને મીઠાના જથ્થાનું વિતરણ પણ ચાલુ માસમાં જ કરવામાં આવશે. જેના માટે દરેક કાર્ડધારકે કુલ ત્રણ વાર આધાર આધારીત ઓથેન્ટીકેશન કરવાનું રહેશે.
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને સસ્તા અનાજની વાજબી ભાવની દુકાન ખાતેથી મે માસમાં મે અને જુન માસનો અનાજનો જથ્થો પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓએ સમયસર મેળવી લેવાનો રહેશે.
જે એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોનું ઈ- કે.વાય.સી. બાકી છે, તે રેશનકાર્ડ ધારકો ઈ- કે.વાય.સી. કરાવવા સંલગ્ન મામલતદાર કચેરીના નાયબ મામલતદાર, પુરવઠા દ્વારા પ્રમાણિત આપ્યાના ચોવીસ કલાક બાદ સસ્તા અનાજની દુકાન ખાતેથી મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકશે તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા પુરવઠા અધિકારી કચેરીની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationચીન CPECને અફઘાનિસ્તાન સુધી લંબાવશે, પાકિસ્તાન સાથે ડ્રેગનનો નવો ખેલ
May 21, 2025 04:43 PMપરિમલ નથવાણી, ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય
May 21, 2025 04:18 PMમાવઠાની આગાહી વચ્ચે અર્ધા ગોહિલવાડમાં ભારે પવન સાથે ઝાપટાથી એક ઈંચ વરસાદ
May 21, 2025 04:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech