સંસદ ભવનમાં પ્રશ્ર્નકાળ દરમ્યાન સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ પ્રત્યુતર આપ્યો
સંસદના શિયાળુ સત્ર દરમ્યાન પ્રશ્ર્નોતરી વખતે જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા સ્વાસ્થ્ય સંબંધીત હુ સહિતની વૈશ્ર્વિક સંસ્થાઓ સાથે સંકલીત કરીને કરવામાં આવેલી કામગીરી અંગે જાણકારી મેળવી હતી અને જવાબમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ થયેલા કાર્યો અંગે વિગતો આપી હતી.
સાંસદ પૂનમબેન માડમે પૂછયું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બહુમુલ્ય દિશા નિર્દેશ હેઠળ આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલયની મહામારી જેવા રોગચાળા સામેની સજ્જતા સંબંધે હુ સહિતની સ્વાસ્થ્યની દિશામાં કામ કરતી વૈશ્ર્વિક સંસ્થાઓ સાથે સંકલન અંગેની જે નીતિ રાખવામાં આવી છે તે અંતર્ગત શું-શું કામગીરી કરવામાં આવી છે ?
જવાબમાં કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ કોવીડ-૧૯ની મહામારી વખતે લેવાયેલા સંકલીત પગલા, રાષ્ટ્રના જન-જનની તૅદુરસ્તી અંગે ભારતના અભ્યાસપૂર્ણ સંશોધનો ભારતના આત્મનિર્ભર હેલ્થ મોડેલ તથા સ્વસ્થ ભારતના નિર્માણની સંકલ્પની આપુરતીની દિશામાં થયેલા કાર્યો અંગે વિસ્તૃત અને સંતોષકારક માહિતી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભાદરામાં ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન બી.એ.પી.એસ મંદિરનો ૧૫ મો પાટોત્સવ ઉજવાયો
May 05, 2025 10:46 AMજામનગર નજીક અલીયાબાડા પાસે કુતરૂં આડું ઉતરતાં ઇકો કારની ગુલાંટ
May 05, 2025 10:42 AM27 કરોડનો ઋષભ પંત ફરી નિષ્ફળ સાબિત થયો, આઈપીએલનો સૌથી શરમજનક રેકોર્ડ બનાવ્યો
May 05, 2025 10:38 AMક્રૂડ ઓઇલના ભાવમાં 20 ટકાનો ઘટાડો, પેટ્રોલ- ડીઝલ સસ્તા થવાની આશા વધી
May 05, 2025 10:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech