જામનગરમાં આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આદ્યપીઠ શ્રી 5, નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતે ધર્મનાં મુખ્ય વડા 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજના 61માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં મહારકતદાન કેમ્પ અને ફીઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ પ્રસંગે સવારથી બપોર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયેલ છે. તા.1-1-2025ને બુધવારનાં રોજ સવારે 9 વાગ્યાથી મહારકતદાન કેમ્પનું આયોજન કરાયેલછે. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રકતદાન કરી સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પિટલ સ્થિત બ્લડ બેંકમાં એકત્ર થયેલુ લોહી જમા કરવામાં આવશે. જેથી માનવ જીંદગી બચાવવા માટે આ ભગીરથ કાર્યમાં જોડાવવા સંતસભા દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા દરમ્યાન જરુરિયાતમંદ લોકો માટે નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં જામનગરનાં જાણીતા ફીઝીયોથેરાપી ડો. ચિરાગ બાબરીયા, અને તેની ટીમ સેવા આપશે. ફિઝીયોથેરાપી કેમ્પ દરમ્યાન અશકત અને વયોવૃદ્ધને અગ્રીમતા આપવામાં આવશે. જેમાંલાભ લેવા માટે શ્રી પ, નવતનપુરી ધામ ખીજડા મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆતંકવાદ સામે ભારતનું મિશન! 'ઓપરેશન સિંદૂર' હેઠળ 33 દેશોમાં ગાજશે પાકિસ્તાનની કરતૂતો
May 18, 2025 12:05 PMઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech