ફરજમાં રૂકાવટ અંગે બે શખ્સો સામે નોંધાવાતી ફરિયાદ
મીઠાપુર વિસ્તારમાં આવેલા એક આરોગ્ય કેન્દ્રના કર્મચારીને મોજપના બે શખ્સોએ બિભત્સ ગાળો ભાંડી અને મારકુટ કરતા આ અંગે મીઠાપુર પોલીસ મથકમાં ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ અંગે મીઠાપુર નજીક આવેલા વરવાળા ગામે રહેતા અને નજીકના મોજપ ગામે આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા આરોગ્ય કર્મચારી ધમનકુમાર રણછોડભાઈ મકવાણા (ઉ.વ. 37) એ મોજપ ગામના રહીશ એવા કનૈયાભા સાવજાભા માણેક અને નંઢાભા સાવજાભા માણેક સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ઉપરોક્ત બંને આરોપીઓએ ગઈકાલે શુક્રવારે આયુષ્યમાન આરોગ્ય મંદિર પરિસરમાં આવી અને તેઓ ફરજ પર હતા, ત્યારે કોઈ કારણોસર આરોપીઓએ તેમની કાયદેસરની સરકારી ફરજમાં રૂકાવટ કરી, બિભત્સ ગાળો કાઢી, મારી નાખવાની ધમકી આપી હતી.
આટલું જ નહીં, આરોપી કનૈયાભા માણેકએ પથ્થર વડે માર મારી, તેમને નાની-મોટી ઈજાઓ કર્યાનું પણ વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે મીઠાપુર પોલીસે બંને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 332, 186, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમાધવપુરના વેપારીના ચેક રીટર્નમાં સુરતના વેપારીને ફટકારાઇ છ મહિનાની જેલની સજા
May 16, 2025 02:43 PMપોરબંદર જિલ્લામાં દા, જુગાર અને ટ્રાફિક નિયમ ભંગના ૨૪ કલાકમાં ૨૯ ગુન્હા નોંધાયા
May 16, 2025 02:42 PMજૂના જલારામ મંદિરની ભાજપના પ્રતિનિધિ મંડળે લીધી મુલાકાત
May 16, 2025 02:41 PMકર્લી જળાશયમાં શ્ર્વાનનો ત્રાસ વધ્યો
May 16, 2025 02:39 PMચોમાસુ શરુ થાય તે પહેલા રોડના કામો હાથ ધરવા સ્ટેન્ડીંગ કમિટીમાં તાકીદ
May 16, 2025 02:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech