4 દિવસ બાદ પણ ભેંસોના મૃતદેહ હજી પાણીમાં : સરકાર પાસે શું અપેક્ષા...?
જામનગર તાલુકાના મોરારસાહેબ ખંભાળીયા ગામે 15 જેટલી ભેસોને ચરાવવા માટે લઇ જતા હતા ત્યારે બપોરના સમયે નદીમાં પાણી પીતી ભેસોનું ઉંડા પાણીમા ગરકાવ થયુ હતું. અમુક ભેસો બહાર નીકળી ગઇ હતી અને 7 ભેસોના મોત થયા હતા. ઉંડ-1 ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા હતા જેથી નદીમાં પાણીનો વધારો થયો અને ભેંસોના મોત થયા છે. જેમાથી બે ભેંસોના મૃતદેહ ગ્રામજનો દ્વારા બહાર કાઢી પોસ્ટ મોર્ટમ કરાવેલ છે. બાકીના પાંચ ભેંસોના મૃતદેહ નદીમાં છે. એક ભેંસની કિ. આશરે 80 હજારથી લાખ પીયા જેટલી થાય, એક જ માલધારીની 6 ભેસો હતી.
દુધ ભરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા હાલમાં સરકાર તરફથી કોઇ પણ જાતની સહાય મળે તેમ નથી તેવું તાલુકા પંચાયતના કર્મચારીએ જણાવ્યું છે, સરકાર આ માલધારી પરિવારને ખાસ કિસ્સામાં સહાય આપે એવી સરકાર પાસે અપેક્ષા રાખેલ છે. હાલ તો આ માલધારી પરિવાર શોકમગ્ન થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમોટા મવા-મવડી વચ્ચેના ન્યુ ઓમ નગરમાં કોરોનાનો કેસ મળ્યો; ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી
May 22, 2025 03:09 PMપંજાબ-હરિયાણા હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વકીલો પાસે પરિસર ખાલી કરાવાયું
May 22, 2025 02:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech