શહેર જામનગરમાં વાલકેશ્ર્વરી વિસ્તારમાં આવેલ અડધા કરોડ ીપયા ઉપરની કિંમતવાળી મિલકતનું તેના માલિક શ્રીમતી કુસમતિબેન રમેશચંદ્ર મોનાણીએ વીલ કરેલ જે મિલકત મુજબની એન્ટ્રી સીટી સર્વે સુપ્રી. કચેરી જામનગરમાં દાખલ થવા મનીષ રમેશચંદ મોનાણીએ અરજી કરેલ જે વીલની એન્ટ્રી થવા સામે તેના જ સગાભાઇઓ અજીત રમેશચંદ્ર મોનાણી તથા મહેશ રમેશચંદ્ર મોનાણી તથા તેની બહેનો મન્નાબેન પ્રદીપભાઇ ઘેડીયા તથા મીરા અનીલભાઇ ગુસાણી જામખંભાળીયાવાળાએ એવા વાંધા લીધેલ કે આ વીલ ભોળવાવીને મિલકતના માલીકની ઇચ્છા વિરુદ્ધ થયેલ છે. વીલવાળી મિલકત સંયુકત કુટુંબની આવકમાંથી મેળવેલછે. વીલ કરનાર જે તે વખતે કિમાર હતા વિગેરે અનેક કારણોસર વાંધા તકરાર દાખલ કરેલ જે તકરારી કેસ સુપ્રિ. લેનડ રેકર્ડ કમ એકત્રીકરણ અધિકારી જામનગર સમક્ષ ચાલી જતા મનીષ રમેશચંદ્ર મોનાણીના વકીલની રજુઆત કાયદા તથા પુરાવા ઘ્યાને લઇ વાંધેદાર અજીત, મહેશ તથા તેની બહેનોની વાંધા અરજી રદ કરી વીલ મુજબની એન્ટ્રી ધોરણસર કરી આપવા હુકમ ફરમાવેલ છે. મનીષ રમેશચંદ્ર મોનાણી તરફે વકીલ સનત એલ. વોરા તથા વકીલ પ્રેરક એસ. વોરા રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભાવનગર-ધોલેરા રોડે માઢિયા નજીક દારુ ભરેલી કારનો અકસ્માત
May 19, 2025 04:06 PMસમુદ્રમાં માછીમારી કરવા ગયેલી પોરબંદરની ફિશિંગ બોટોને ફરી પરત બોલાવવામાં આવી
May 19, 2025 03:59 PMસિહોર, પાલીતાણા તેમજ મહુવા સહિત ભાવ. ડિવિઝનના ૬ સ્ટેશન બન્યા "અમૃત સ્ટેશન
May 19, 2025 03:59 PMપોરબંદરના દરિયાકાંઠે વિશાળ કદના કાચબાનો મૃતદેહ તણાઇ આવ્યો
May 19, 2025 03:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech