ઓખાનાં વેપારી ગ્રુપે છઠ્ઠી વખત યાત્રાધામ બેટ-દ્વારકાની પ્રદિક્ષણા પૂર્ણ કરી

  • December 30, 2024 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
દ્વારકા તાલુકામાં ઓખાનાં વેપારીઓ અને તેમનાં સંતાનો અને નગરજનો હર હમેશ ધાર્મિક,જીવદયા અને સામાજિક સેવાઓ નાં કાર્યો માટે અગ્રેસર રહે છે. નવરાત્રી, જન્માષ્ટમી,રામનવમી, હનુમાન જયંતી, હોળી ઉપરાંત અનેક ધાર્મિક ઉત્સવ ઉજવણીમાં ઓખાનાં વેપારીઓ તન,મન અને ધનથી સહકારની ભાવનાથી હંમેશાં સંગઠીત રહીને હોંશભેર ભાગ લે છે.



શ્રાધ્ધ પક્ષમાં ગૌસેવાનું કાયૅ તેઓનું પ્રસંશનીય કાયૅ હોય છે. સંસ્કૃતિ,પરંપરા અને ધાર્મિકતાને ટકાવવા છેલ્લા ૬ વર્ષથી યાત્રાધામ બેટ-દ્વારકાની ૩૨ કિ.મી.ની પગપાળા પ્રદક્ષિણા કરી ભગવાન દ્વારકાધીશને વિશ્વ કલ્યાણની પ્રાથૅના કરે છે. અંગ્રેજી વર્ષનાં અંતિમ દિવસો એટલે કે ડિસેમ્બરમાં આ આયોજન થાય છે.


ધાર્મિક માન્યતા અનુસાર યાત્રાધામ બેટ-દ્વારકાની પગપાળા પ્રદક્ષિણા કરવાથી અનેકગણું ધર્મ ફળ મળે છે. રવિવારે ઓખાનાં ૩૦ જેટલા વેપારી-નગરજનો સવારે દ્વારકાધીશનાં દશૅન કરીને આ પ્રદક્ષિણા પદયાત્રા શરુ કરીને સાંજે પૂર્ણ કરી ભગવાનનાં આશિવૉદ લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application