ગૃહમંત્રી દ્વારા સંસદમાં આપેલા નિવેદનનો સુરજકરાડી ખાતે વિરોધ કરતા દલિત સમાજના આગેવાનો

  • December 23, 2024 12:10 PM 

હાલ દેશમાં બધી જ જગ્યાએ કોંગ્રેસ અને દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં આપેલા નિવેદનના કારણે દલિત સમાજ,કોંગ્રેસ તથા ડો.આંબેડકરના પ્રેમીઓ ખૂબ જ આક્રોશમાં આવ્યા છે અને બધી જગ્યા એ વિરોધ કરી રહ્યા છે. ઘણી જગ્યા રસ્તા બંધ કરી, અમિત શાહ હાય હાય ના નારા લગાડી તેમજ અમિત શાહના પૂતળા સળગાવી પોતાનો વિરોધ વ્યક્ત કરે છે ત્યારે દેવભુમી દ્વારકા જિલ્લામાં પણ દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન જોવા મળ્યો હતો.દ્વારકાના સુરજકરાડી ખાતે ડૉ.ભીમરાવ આંબેડકર ચોકમાં ગૃહમંત્રી અમિત શાહ એ સંસદમાં આપેલા નિવેદનનાં વિરોધમાં દલિત આગેવાનો એકઠા થયા હતા. તેમજ અમિત શાહનું પુતળું બાળવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.પરંતુ પુતળું સળગાવે તે પહેલાં પોલીસ દ્વારા તમામ દલિત આગેવાનોને રોકી લેવાયા હતા. તેમજ ટીંગા ટોળી કરી દલિત સમાજના આગેવાનોની ધરપકડ સુરજકરાડી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application