આશરે 85 હજાર હેકટર જમીનમાં મગફળીનું વાવતેર થયું જેમાં સૌથી વધુ કાલાવડમાં 34 હજાર, લાલપુરમાં 29 હજાર અને જામજોધપુરમાં 25 હજાર હેકટરમાં ખેડુતોએ વાવી મગફળી: ગયા વખતે 3.48 લાખ હેકટરમાં થયુું હતું કુલ વાવેતર: જો કે હવે કપાસની વાવણી પણ શ થઇ જતાં મગફળી અને કપાસ વચ્ચે થશે સ્પધર્િ
જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના ગામડાઓમાં વણદેવે સચરાચર વરસાદ વરસાવ્યો જેના કારણે પાકનું ચિત્ર ઉજળુ બન્યું છે, લગભગ 85 હજાર હેકટરમાં મગફળીનું વાવતેર થઇ ચૂકયું છે, જયારે કપાસનું વાવેતર પણ પુરજોશમાં ચાલું છે, અંદાજ મુજબ 1.20 લાખ હેકટરમાં વાવેતર થઇ ગયું હોય, એકાદ અઠવાડીયામાં લગભગ કુલ વાવેતર પોણા બે લાખ હેકટરમાં થઇ જશે. ગયા વર્ષે કપાસ અને મગફળીના ઉચા ભાવ હોવાથી ખેડુતો આ પાક તૈયાર થયા બાદ તરત જ જીનું વાવેતર શ કરી દે છે, મગફળીમાં તો કાલાવડ, લાલપુર અને જામજોધપુર મોખરે રહે છે.
ખેતીવાડી નિષ્ણાંતોના જણાવ્યા મુજબ કાલાવડમાં 34 હજાર, લાલપુરમાં 29 હજાર, જામજોધપુરમાં 25 હજાર હેકટરમાં વાવેતર થયું છે, જો કે સરકારી ચોપડે 20 ટકા વાવેતરના આંકડા ઓછા બતાવવામાં આવ્યા છે, ત્યારે જામનગર જિલ્લામાં ધ્રોલમાં મગફળી 11 હજાર, કપાસ 10 હજાર, જામજોધપુરમાં મગફળી 25 હજાર અને કપાસ 19 હજાર, જામનગરમાં મગફળી 12 હજાર અને કપાસ 9 હજાર, જોડીયામાં મગફળી 5 હજાર અને કપાસ 4 હજાર, કાલાવડમાં મગફળી 35 હજાર અને કપાસ 17 હજાર, લાલપુરમાં મગફળી 28 હજાર અને કપાસ 20 હજાર હેકટર જમીનમાં વાવેતર થઇ ચુકયું છે.
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ઓગષ્ટ મહીનામાં એરંડા અને તુવેરનું વાવેતર થશે, એ જ અરસામાં જિલ્લામાં કઠોળનું વાવેતર કરવામાં આવશે. દિવેલા 4 હજાર, શાકભાજી અને ઘાસચારો 1 હજાર હેકટરમાં વાવેતર થઇ ચૂકયું છે, વ્હેલો વરસાદ થતાં ગામડાઓમાં તુવેર, એરંડા અને કઠોળનું વાવેતર થયું છે, લગભગ 364164 હેકટરમાં વાવેતર થતું હોય છે, ગયા વખતે 348157 હેકટરમાં વાવતર થયું હતું જેમાં કપાસનું સૌથી વધુ વાવેતર 178154 હેકટરમાં થયું હતું. જયારે મગફળી 144676 હેકટરમાં વાવવામાં આવી હતી.
જો કે આ વખતે લગભગ મગફળી અને કપાસનું પેરેરલ વાવેતર થાય તેવી પણ શકયતા છે, સરકારી કચેરી ખેતીવાડી વિભાગ દ્વારા દર શુક્રવારે તાલુકાવાઇસ પત્રકો મંગાવવામાં આવે છે અને ત્યારબાદ શનિવારે વાવેતરના આંકડા મળે છે, જો કે આ અઠવાડીયુ વાવણી માટે ખુબ જ મહત્વનું છે, ખંભાળીયા અને દ્વારકા વિસ્તારમાં માત્ર 3 દિવસમાં 10 થી 12 ઇંચ વરસાદ પડી ચૂકયો છે, જામનગર જિલ્લાના અમુક ગામડાઓમાં કાલાવડ અને લાલપુરમાં સારો વરસાદ થયો છે ત્યારે હવે આઠ દિવસ બાદ ફરીથી જોરદાર વરસાદની જર છે ત્યારે આ વખતે બારઆની ઉપર તો પાક થવાની શકયતા છે અને જો ચોમાસુ આગાહી મુજબ એક મહીનો લંબાઇ તો કદાચ સોળઆની વર્ષ પણ થશે. હાલારમાં સરેરાશ 30 ટકા વરસાદ થયો છે અને આ સિઝનમાં 114 ટકા વરસાદ થશે તેવી હવામાન ખાતાએ આગાહી સાથે ધારણા કરી છે ત્યારે આગામી દિવસોમાં મગફળી અને કપાસનું વાવેતર પુરજોશમાં વધુ માણસો રાખીને કરવામાં આવશે.
ભીમ અગીયારસના દિવસે અમુક ખેડુતો વાવેતર ચુકી ગયા છે તે આજના અષાઢી બીજના શુકનવંતા દિવસે વાવેતર કરી રહ્યા છે, ત્યારે આ વર્ષે હાલારમાં જગતનો તાત અત્યારથી જ ખુશખુશાલ હોય તેમ લાગે છે, કારણ કે સારો વરસાદ થયો છે અને હજુ સારો વરસાદ પડવાની આશા છે ત્યારે મગફળી અને કપાસના પાક ઉપર આ વરસાદ ખેતીનું સા ચીત્ર લાવવામાં સફળ થશે તેમ મનાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech