70 થી વધુ પોલ ઊભા કરીને 18 ગામોમાં વીજપુરવઠો પુનઃ સ્થાપિત કરાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને લીધે સંખ્યાબંધ વીજ પોલ પડી જવાથી તેમજ અન્ય કારણોને લીધે વીજ પુરવઠો પ્રભાવિત થયો છે. આ પરિસ્થિતિમાં નવા પોલ ઊભા કરીને તેમજ અન્ય કામગીરી દ્વારા વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની કામગીરી પીજીવીસીએલ તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે.
આ અંતર્ગત ખંભાળિયા તાલુકાના જુદા જુદા ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે તૂટી ગયેલા થાંભલાઓને દૂર કરીને 70 થી વધુ પોલ લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જેના કારણે 18 જેટલા ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે. બાકી રહેતા કેટલાક ગામોમાં પણ આ કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી હોવાનું ખંભાળિયા પી.જી.વી.સી.એલ.ની વિભાગીય કચેરી દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકલેકટરની રુબરુ મુલાકાત દરમ્યાન લોકો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્ર્નોની સમીક્ષા કરાઈ
May 19, 2025 04:38 PMચોમાસા પુર્વેની તૈયારીઓ અંગે જિલ્લા કલેકટર દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓને કરાઇ તાકીદ
May 19, 2025 04:32 PMસર્વોત્તમ ડેરી દ્વારા ધાર્મિક સ્થળોએ હાથ સફાઈ ઝુંબેશ
May 19, 2025 04:27 PMસુરતના કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણનો આરોપી પીપરલામાંથી ઝડપાયો
May 19, 2025 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech