રાજપીપળાથી એન.આર. જોશીની જામનગર નિમણુંક : હાઇકોર્ટ દ્વારા ડીસ્ટ્રીક જજ કેડરમાં ૩૧ બદલીના હુકમો
હાઇકોર્ટ દ્વારા ડીસ્ટ્રીક જજ કેડરમાં ૩૧ જજની બદલીના હુકમો કરવામાં આવ્યા છે, જેમાં જામનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક જજને પાલનપુર ખાતે જયારે રાજપીપળાના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક જજને જામનગરમાં નિમણુંક આપવામાં આવી છે.
હાઇકોર્ટ દ્વારા ડીસ્ટ્રીક જજના બદલીના હુકમો કરવામાં આવ્યા છે, કુલ ૩૧ ડીસ્ટ્રીક જજ કેડરમાં આદેશ કરવામાં આવ્યા છે, જેમાં જામનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ એસ.કે. બક્ષીને પાલનપુરના બનાસકાંઠાના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક જજ તરીકે મુકવામાં આવ્યા છે, જયારે રાજપીપળાના નર્મદા ખાતેના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક જજ એન્ડ સેસન્સ જજ એન.આર. જોશીને જામનગર પ્રિન્સીપલ ડીસ્ટ્રીક જજ તરીકે મુકાયા છે. ઉપરાંત રાજકોટના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક જજ આર.ટી. વરછાણીની સુરત ખાતે બદલી કરાઇ છે, અને રાજકોટમાં આણંદથી વિક્રમસિંહ બળવંતસિંહ ગોહિલની પ્રિન્સીપલ ડીસ્ટ્રીક જજ તરીકે નિમણુંક કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech