જામજોધપુરના ધ્રાફા ગામની યુવતિને મેણાટોણા મારી દુ:ખત્રાસ દઇને ધમકી દીધાની પતિ સામે ફરીયાદ કરવામાં આવી છે.જામજોધપુરના ધ્રાફા ગામમાં રહેતી કોમલબા હરદીપસિંહ પરમાર (ઉ.વ.૩૫) નામની પરિણીતાએ ગઇકાલે શેઠવડાળા પોલીસમાં સુરેન્દ્રનગરના કૃષ્ણનગર કલેકટર કચેરી પાછળ રહેતા હરદીપસિંહ વિક્રમસિંહ પરમારની વિરુઘ્ધ આઇપીસી કલમ ૪૯૮(અ), ૫૦૪, ૫૦૬(૨) મુજબ ફરીયાદ નોંધાવી છે. ફરીયાદીને સાતેક વર્ષ પહેલા મગજમાં મસાની તકલીફ હોવાથી અમદાવાદ ખાતે ઓપરેશન કરાવેલ હોય જેની હાલ દવા ચાલુ હોય તેણીને શારીરીક નબળાઇ રહેતી હોય અને ઘરકામ થતું ન હોય આ બાબતે ફરીયાદીના પતિ દ્વારા અવાર નવાર મેણાટોણા મારી શારીરીક, માનસીક દુ:ખત્રાસ અને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech