જિલ્લાના તમામ તાલુકાઓમાં યોજાનાર કાર્યક્રમોમાં ખેડૂતોને રવિ પાકો વિશે માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ વિશે સમજૂતી તેમજ મોડેલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૬ અને તા.૭ ડિસેમ્બર દરમિયાન રવિ કૃષિ મહિત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોને રવિ પાકો વિશે આધુનિક તાંત્રિકતા અંગે માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવશે.
જેના ભાગરૂપે જામનગર તાલુકા કક્ષાનો કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, એરફોર્સ રોડ જામનગર ખાતે, લાલપુર તાલુકા કક્ષાનો કાર્યક્રમ ભાલારા દાદા મંદિર ટ્રસ્ટ લાલપુર ખાતે, ધ્રોલ તાલુકા કક્ષાનો કાર્યક્રમ પટેલ સમાજ ખાતે, કાલાવડ તાલુકા કક્ષાનો કાર્યક્રમ સૂર સાંગળા હનુમાનજી મંદિર, મોટા વડાળા પાટિયા પાસે, જામજોધપુર તાલુકા કક્ષાનો કાર્યક્રમ એપીએમસી જામજોધપુર ખાતે, જોડિયા તાલુકા કક્ષાનો કાર્યક્રમ મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા દરમિયાન યોજાશે.
આ કાર્યક્રમોમાં વેલ્યુ એડીશન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો, મિલેટ સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકના વિષય પર પરિસંવાદ તથા કૃષિ પ્રદર્શન યોજાશે. તથા ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત લેવામાં આવશે. આ કાર્યક્રમોમાં પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ ખેડૂતો હાજર રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationચોમાસા પુર્વેની તૈયારીઓ અંગે જિલ્લા કલેકટર દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓને કરાઇ તાકીદ
May 19, 2025 04:32 PMસર્વોત્તમ ડેરી દ્વારા ધાર્મિક સ્થળોએ હાથ સફાઈ ઝુંબેશ
May 19, 2025 04:27 PMસુરતના કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણનો આરોપી પીપરલામાંથી ઝડપાયો
May 19, 2025 04:24 PMવિદેશીદારૂની ૨૮૨ બોટલ સાથે મહુવાનો ‘નવલોહીયો’ ઝડપાયો, એક શખ્સ ફરાર
May 19, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech