ખંભાળિયામાં ગૌસેવા રક્ષા પરિવાર દ્વારા સેવા, જાગૃતિ આયોજન
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ભૂમાફિયાઓ દ્વારા સરકારની ગૌચરની જમીન પર દબાણો કરવામાં આવ્યા છે. જેને અનુલક્ષીને ગૌસેવા રક્ષા પરિવાર દ્વારા ખંભાળિયામાં જિલ્લા કલેકટરને સોમવારે સવિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવશે.
ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ગૌસેવા અને ગૌરક્ષા કરતા કાર્યકરો દ્વારા કરવામાં આવેલા ખાસ આયોજનના ભાગરૂપે જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ગૌચરની જગ્યા પરના થયેલા દબાણના મુદ્દે સોમવાર તારીખ 20 ના રોજ અહીંના જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવવાનું મુકરર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સોમવારે સવારે 10 વાગ્યે ખંભાળિયાના સલાયા ચાર રસ્તા વિસ્તારમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલ નજીક ગૌભક્તો તેમજ હિન્દુજનો એકત્ર થશે. જ્યાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણાઓ બાદ સામૂહિક રીતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી અને જિલ્લામાં વર્ષોથી રહેલા ગૌચરના દબાણો દૂર કરવા માટેની માંગ કરવામાં આવશે.
આ આયોજનમાં ઉપસ્થિત રહેવા હિન્દુ ધર્મપ્રેમી તેમજ ગૌપ્રેમીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech