શહેરની અગ્રગણ્ય સહકારી બેંક ઘી નવાનગર કો-ઓપરેટીવ બેંક લી. શહેરભરમાં ૧૦ શાખાઓ તથા ૧ એક્ટેન્શન કાઉન્ટર ધરાવે છે. તા. ૧૭/૧૨/૨૦૨૪ના રોજ બેંકની ખોડીયાર કોલોની ખાતેની શાખાને નજીકમાં જ જી-૧, રોયલ હાઈટ્સ ખાતે આણંદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજ તથા બેંકના સ્થાપક અને પૂર્વ ચેરમેન રમણીકલાલ શાહના વરદ હસ્તે સ્થાનાંતરીત કરવામાં આવેલ. આ પ્રસંગે ઉપરોક્ત મહાનુભાવો ઉપરાંત બેંકના ચેરમેન પ્રદિપભાઈ વાઘર અને વાઈસ ચેરમેન ચેતનભાઈ ખટ્ટર તેમજ અન્ય ડાયરેક્ટરો દ્વારા દિપ પ્રાગટય કરીને શાખાના નવા નુતન સ્થાનની શુભ શરૂઆત કરેલ હતી.
આ પ્રસંગે બેંકના ડાયરેક્ટરો તુલસીભાઈ ગજેરા, અશોકભાઈ જોબનપુત્રા, ચેતનભાઈ માઘવાણી, બીપીન ભાઈ કનખરા, મુનીષભાઈ મહેતા, અમિતભાઈ કુંડલીયા, કૃણાલભાઈ શેઠ, કાંતિલાલ નકુમ, સી.એ. જાન્વીબેન શાહ તેમ પૂર્વ ડાયરેક્ટરો નાથાલાલ મુંગરા, વિજયભાઈ શેઠ, બેંકના માનવંતા ગ્રાહકો તેમજ બેંકના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર આર.કે. પાઢ ઉપસ્થિત રહયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ધી નવાનગર કો-ઓપરેટીવ બેંક જામનગર શહેરમાં છેલ્લા ૪૬ વર્ષોથી કાર્યરત છે તેમજ સમયની સાથે ચાલીને પોતાના ગ્રાહકોને અત્યંત આધુનીક બેંકીંગ સવલતો સાથે ઉમદા અને વિનયશીલ કાઉન્ટર સેવાઓ આપવા માટે હંમેશ કટીબધ્ધ રહેલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech