સમસ્ત ખવાસ જ્ઞાતિ-મધ્યસ્થ મંડળ દ્વારા આયોજન
જામનગર સમસ્ત ખવાસ જ્ઞાતિના ધોરણ 10 થી ઉચ્ચ કક્ષા સુધીના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ માટે તારીખ 15-12-2024 ના દયાશંકર બ્રહ્મપુરી વાડી કે.વી. રોડ જામનગર ખાતે સાંજે 5 કલાકે રોજ ભવ્ય સરસ્વતી સન્માન સમારોહનું આયોજન થશે. તો વિદ્યાર્થી મિત્રો એ વહેલી માર્કશીટ જમા કરાવવાની રહેશે.
માર્કશીટ સ્વીકારવાની તારીખ 25-10-2024 થી 25-11- 2024 સુધીની રહેશે. ત્યારબાદ કોઈપણ સંજોગમાં માર્કશીટ સ્વીકારવામાં આવશે નહીં જેની વાલીઓએ ખાસ નોંધ લેવી.માર્કશીટ સ્વીકારવાના સ્થળો નીચે મુજબ છે. શ્રી મોમાઈ ઓટો ગેરેજ-સ્થળ ગિરધારી મંદિર શાક માર્કેટ પાસે જામનગર તથા ચામુંડા સાયકલ સ્ટોર. લીમડા લાઈન મેઇન રોડ જવાહર પાનની બાજુમાં તથા મોમાઈ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ ચૌહાણ ફળી પંજાબ બેંક પાસે તથા સુરેશ બુક સ્ટોલ બેડી ગેટ મેન રોડ ખાદી ભંડાર સામે જામનગરનો સંપર્ક સાધવો.
આ તકે ઉપર મુજબના સ્થળે નિયત સમયમાં માર્કશીટ આપવાની રહેશે. સમસ્ત ખવાસ જ્ઞાતિના તમામ જ્ઞાતિજનોને જ્ઞાતિના-કાર્યવાહક પ્રમુખ પંકજભાઈ સોઢા, મંત્રી રમણીકભાઈ બારડ, આ કાર્યક્રમના ઇન્ચાર્જ અને શિક્ષણ સમિતિના ચેરમેન સાગર કે. રાઠોડની એક યાદી જણાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદ્વારકામાં કાલથી ચાર દિવસીય યોગ શિબિર
May 20, 2025 11:37 AMઅખંડ ભારતના વીર સપૂત પંડિત નથુરામ ગોડસેજીના જન્મદિવસે હિંદુ સેનાએ લીધા સંકલ્પ
May 20, 2025 11:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech