રાજકોટમાં રહેતા દહેજ ભૂખ્યા સાસરીયાઓનો સીતમ: ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ
જામનગરની પરણીતાને રાજકોટમાં રહેતા તેણીના દહેજ ભૂખ્યા સાસરીયાઓએ ત્રાસ ગુજારી દહેજ ની માંગણી સાથે ઘરમાંથી પહેલા કપડે હાંકી કાઢી હોવાથી તેણીએ જામનગર આવી પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રહેતી અને રાજકોટ પરણાવેલી નેહાબા વનરાજસિંહ જાડેજા નામની ૨૪ વર્ષીય યુવતી કે જેના લગ્ન આજથી દોઢ વર્ષ પહેલાં રાજકોટમાં રહેતા વનરાજસિંહ ભરતસિંહ જાડેજા સાથે થયા હતા. લગ્નની શરૂઆતમાં સારી રીતે રાખ્યા બાદ માત્ર સાત માસના સમયગાળા દરમિયાન તેણીને દહેજ ના કારણે ત્રાસ ગુજારવામાં આવતો હતો, અને શ્વસુર પક્ષના તમામ સભ્યોએ વધુ દહેજ ની માંગણી સાથે ઘરમાંથી પહેરેલા કપડે હાંકી કાઢી હતી.
આથી નેહાભાઈ જામનગર આવીને પોતાના દહેજભૂખ્યા સાસરીયાઓ સામે ફરિયાદ નોંધવા માટે જામનગરના મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, જયાં તેણે પોતાના પતિ બલરાજસિંહ ભરતસિંહ જાડેજા, સાસુ દશરથબા ભરતસિંહ જાડેજા, સસરા ભરતસિંહ જાડેજા, જેઠ વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા, અને નણંદ સેજલબા સત્યજીતસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તમામ આરોપીઓ સામે દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, અને તપાસનો દોર રાજકોટ સુધી લંબાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભારે પવન, વરસાદથી 20 ફીડરમાં ફોલ્ટ સર્જાતા અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ
May 23, 2025 03:16 PMકાયદાના અમલદારો જજ કે જલ્લાદ ન બને: ફેક એન્કાઉન્ટર પર હાઇકોર્ટે લગાવી ફટકાર
May 23, 2025 03:04 PMભારતથી કોઈ બોમ્બ કે લોકો આવતા નથી, હુમલાખોરો આપણા જ છે: પાકિસ્તાની સાંસદ
May 23, 2025 02:58 PMભારતીય સાંસદોની ફ્લાઈટ લેન્ડ થયા પહેલા મોસ્કો એરપોર્ટ પર ડ્રોન હુમલો
May 23, 2025 02:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech