દાગીના અને રોકડ મળી 3.53 લાખની ચોરી : જાણભેદુ હોવાની આશંકા
અહીંના નવાગામ ઘેડ વિસ્તારમાં મધુરમ રેસીડેન્સીમાં આવેલ જીઆરડીના મકાનમાંથી દાગીના અને રોકડ મળી સાડા ત્રણ લાખની ચોરી કરી ગયાની અજાણ્યા શખ્સો સામે ફરીયાદ કરવામાં આવી છે. આ ચોરી પાછળ કોઇ જાણભેદુનો હાથ હોવાની આશંકાઓ દશર્વિવામાં આવી રહી છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા મધુરમ રેસીડેન્સી ખાતે રહેતા અને જીઆરડીમાં નોકરી કરતા હરપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ.28) ના મકાનમાંથી કોઇ અજાણ્યા શખ્સો દાગીના અને રોકડ ચોરી કરી ગયાની સીટી-બી ડીવીઝનમાં ફરીયાદ કરવામાં આવી છે.
ગત તા. 9ના સમય દરમ્યાન ફરીયાદી હરપાલસિંહના બંધ રહેણાંક મકાનમાં મેઇન દરવાજાનું તાળુ અજાણ્યા શખ્સોએ ચાવી વડે ખોલીને અંદર પ્રવેશી કબાટમાં રાખેલા સોના-ચાંદીના દાગીના તથા રોકડા 30 હજાર મળી 3.53.100ના મુદામાલની ચોરી કરીને તસ્કરો નાશી છુટયા હતા.
ફરીયાદના આધારે સીટી-બી ડીવીઝન પોલીસ દ્વારા ઘટના સ્થળે દોડી જઇ પ્રાથમિક વિગતો જાણી તપાસ આગળ ધપાવી છે. ચાવી વડે તાળુ ખોલવામાં આવ્યુ હોય આથી આ બનાવમાં કોઇ જાણભેદુ હોવાની આશંકા દશર્વિવામાં આવી રહી છે. અને આજુબાજુના સીસી કેમેરા ચેક કરવા સહિતની તપાસ લંબાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવિઝન 2047 માટે રાજ્યસરકાર દ્વારા નીતિ સુધારણા માટે કવાયત
May 23, 2025 02:21 PMકિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક જવાન શહીદ
May 23, 2025 02:18 PMપાકિસ્તાનની આડોડાઈ: ઈન્ડીગોના ૨૨૭ યાત્રીના જીવ જોખમમાં મુક્યા
May 23, 2025 01:57 PMજામજોધપુર પંથકને માવઠાનો માર: એક ઇંચ વરસાદ ખાબકતા ખેડુતોના હાલ બેહાલ...
May 23, 2025 01:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech