મહેસાણાના વિજાપુર તાલુકાના સુંદરપુર ગામે મોટી દુર્ઘટના, દીવાલ ધસી પડતાં શ્રમિકો દટાયા, ત્રણનાં મોત, ચાર ઇજાગ્રસ્ત

  • May 23, 2025 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહેસાણાના વિજાપુર તાલુકામાં મોટી દુર્ઘટના બન્યાનું સામે આવ્યું છે. આ ઘટના સુંદરપુર ગામમાં બની છે. મકાનની દીવાલ ધરાશાયી થતા શ્રમિકો દટાયા હતા. જેમાં ત્રણ શ્રમિકના મોત નીપજ્યા છે. જ્યારે ચાર જેટલા શ્રમિકોની ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. 


ઘટનાને પગલે આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરવામાં આવી હતી. લોકોએ કાટમાળ દૂર કરી રેસ્ક્યૂ કામગીરી કરી હતી. કાટમાળ હટાવતા ત્રણ શ્રમિકના મૃતદેહ હાથ લાગ્યા હતા. જ્યારે ચાર જેટલા શ્રમિકને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યા હતા. 108 દ્વારા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે મૃતકોને પીએમ માટે ખસેડાયા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ​​​​​​​


જૂના મકાનની દીવાલ ધરાશાયી થઈ 

પ્રાપ્ત વિગત મુજબ, સુંદરપુર ગામના મહાદેવવાસમાં અતુલ ભીખાભાઈ પટેલ અને અશ્વિનઈ જોઈતાભાઇ પટેલના નવા મકાન માટે જૂનું મકાન ઉતારવાની કામગીરી ચાલતી હતી. આ દરમિયાન જૂના મકાનની દીવાલ ધરાશાયી થતા કામ કરી રહેલા શ્રમિકો દટાયા હતા. જેમાં ત્રણ શ્રમિકોના મોત થયા હતા અને ચાર જેટલા શ્રમિકોને ઇજા પહોંચી છે.

તમામ મજૂરોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application