સરકારી અધ્યાપન મંદિર-ધ્રોલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-જામનગર માટે આયોજન
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જામનગર તથા સરકારી અધ્યાપન મંદિર, ધ્રોલના પૂર્વ તાલીમાર્થીઓ માટે વિશેષ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓ તેમજ એવોર્ડ વિજેતા શિક્ષકોને સન્માનિત કરવામાં આવશે. સાથે જ પૂર્વ અધ્યાપકશ્રીઓ માટે વિદાય સત્કાર કાર્યક્રમ યોજાશે.
1960થી ધ્રોલ ખાતે સ્થાપિત સરકારી અધ્યાપન મંદિર, જે હાલ જિલ્લાના શિક્ષણ અને તાલીમ ભવન, જામનગર તરીકે કાર્યરત છે, તેમાં અનેક શિક્ષકોને તાલીમ આપવામાં આવી છે. આ સંસ્થાએ રાજ્યની વિવિધ પ્રાથમિક શાળાઓ માટે લાયક અને કુશળ શિક્ષકો તૈયાર કર્યા છે. જે તાલીમાર્થીઓએ અહીંથી PTC અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે, તેઓ હાલમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રાથમિક શિક્ષક કે શિક્ષણ વિભાગના અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે. અનેક તાલીમાર્થીઓએ સરકાર તથા વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે.
આગામી *તારીખ 29 અને 30 માર્ચ 2025* દરમિયાન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જામનગર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાનાર છે. જેમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ,શિક્ષક સંઘના હોદેદારો તેમજ આમંત્રિત મહેમાનો હાજર રહેશે વિશેષ રૂપે, કાર્યક્રમ દરમિયાન લોકડાયરો પણ યોજાશે. રાજ્યના કોઈપણ જિલ્લાઓમાં નોકરી કે વ્યવસાય કરતા આ સંસ્થાના પૂર્વ તાલીમાર્થીઓને આમંત્રણ આપવામાં આવે છે અને તેમને આ ભવ્ય સ્નેહ મિલન સમારોહમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.
વધુ માહિતી માટે : ડેનિશભાઈ ઘેટીયા: +91 98984 68998, અમિતભાઈ સોની: +91 99250 29140, +91 99250 54140, આસિફભાઈ જામી: +91 95745 60111, રામભાઈ ખૂંટી: +91 98798 54440, જયેશભાઈ ખાંટ: +91 90814 20274 નો સંપર્ક કરવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech