વ્યાસપીઠ શાસ્ત્રી પરેશભાઈ વ્યાસ સાણથલીવાળા કથાનું કરાવશે રસપાન
જામજોધપુર તાલુકાના શેઠવડાળા કડવા પટેલ સમાજ ખાતે તા.૨૪-૫ થી ૩૦-૫ સવારે ૯ થી ૧૨ તથા સાંજે ૪ થી ૭ દરમ્યાન ભટ્ટ પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.આ શ્રીમદ્ ભાગવત સપ્તાહના વ્યાસપીઠ પર શાસ્ત્રી પરેશભાઈ વ્યાસ સાણથલીવાળા કથાનું રસપાન સંગીતમય શૈલીમાં કરાવશે.
ભટ્ટ પરિવારના મોભી જીતેન્દ્રભાઈ જટાશંકરભાઈ ભટ્ટ (જલાભાઈ) તથા સર્વે પિતૃઓના સ્મરણાર્થે ભટ્ટ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ શ્રીમદ ભાગવત સપ્તાહ નિમિત્તે પોથીયાત્રા તા.૨૪-૫ શુક્રવારે સવારે ૧૦ વાગ્યે, શનિવારે કપીલ જન્મ સાંજે ૬-૩૦, રવિવારે સાંજે ૬-૩૦ વાગ્યે નૃસિંહ જન્મ, સોમવારે સવારે ૧૦ વાગ્યે વામન જન્મ પ્રાગટ્ય,૧૨ વાગ્યે રામ જન્મોત્સવ,સાંજે ૬-૩૦ કૃષ્ણ જન્મોત્સવ, મંગળવાર ૬-૩૦ ગીરીરાજ ઉત્સવ, બુધવારે સાંજે ૬-૩૦ વાગ્યે રૂક્ષ્મણી વિવાહ, ગુરૂવારે સવારે ૧૦-૩૦ વાગ્યે સુદામા ચરિત્ર બાદ કથા વિરામ લેશે. આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું રસપાન કરવા તમામ ભાવિકોને આયોજક ભટ્ટ પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ભટ્ટ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહની સાથોસાથ ભટ્ટ પરિવારના લાડકા બટુકો વેદ,રૂદ્ર,જિયાન,સૌરભની યજ્ઞોપવિત તા.૨૩-૦૫-૨૦૨૪ ગુરૂવારના રોજ યોજાનાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપોરબંદરના ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સાથે લાખોની છેતરપીંડી
May 16, 2025 11:50 AMટેન્કર હડફેટે ભાણખોખરીના બાઈકચાલક આધેડનું મૃત્યુ
May 16, 2025 11:46 AMજામનગરમાં ઓનલાઈન ગેમિંગથી બેંક ખાતામાં લેવડ દેવડ કરતા બે શખ્સો ઝડપાયા
May 16, 2025 11:42 AMદ્વારકા જિલ્લાના ધોરીમાર્ગો પર પ્રતિબંધિત કોનોકાર્પસ રોપાની હારમાળા
May 16, 2025 11:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech