બોખીરા-કુછડી રોડ પર કેનાલમાં માછલાના નિપજ્યા શંકાસ્પદ મોત

  • May 15, 2025 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના બોખીરાથી કુછડી તરફ જતા રસ્તે કેનાલમાં મોટીમાત્રામાં માછલાના શંકાસ્પદ મોત  નિપજ્યા હોવાથી તંત્ર તાત્કાલિક તપાસ કરે તેવી માંગણી સાથે રજૂઆત થઇ છે. 
પોરબંદરના બોખીરા આવાસ યોજનાથી કુછડી તરફ જતા રસ્તે આવેલી કેનાલમાં બુધવારે બપોર બાદ મોટી સંખ્યામાં માછલાઓ મૃત્યુ પામ્યા હોવાથી તેના  મૃતદેહ તરતા હતા. આથી ત્યાંના જીવદયાપ્રેમી અને જાગૃત લોકોએ ‘સેવ પોરબંદર સી’ના ડો. નૂતનબેન ગોકાણીને જાણ કરી હતી. આટલી વિશાળ માત્રામાં માછલા મોતને ભેટવા પાછળનું કારણ કેમિકલ અથવા તો બીજુ કોઇ છે કે કેમ? તે અંગે તપાસ માટેની માંગણી થઇ છે. માછલાના મૃતદેહના સેમ્પલ લઇને તેની ઉંડાણથી તપાસ હાથ ધરવામાં આવે તો જ તેના મોતનું સાચુ કારણ બહાર આવશે તેથી સત્ય હકીકત બહાર લાવવા માંગણી થઇ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application