કાળિયાબીડના કેસરીયા હનુમાન ગ્રાઉન્ડમાં દરેક ચોમાસા દરમ્યાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા

  • May 16, 2025 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 ભાવનગર શહેરના કાળીયાબીડ-સીદસર-અધેવાડા વોર્ડમાં આવેલ કાળીયાબીડ, કેસરીયા હનુમાન ગ્રાઉન્ડમાં દરેક ચોમાસા દરમ્યાન વરસાદી પાણી ભરવાની સમસ્યા રહે છે .આથી અત્રેના રહીશોને તકલીફ પડે છે.તાજેતરમાં થયેલ માવઠાના કારણે પાણી હજુ સુધી ભરાઈ રહેલ છે. આ પરિસ્થિતી દરેક વર્ષે યથાવત રહેતી હોય તો તેનો કાયમી પ્રશ્ન હલ કરવો ખુબ જરૂરી છે. હાલ આજુબાજુના લોકોને મચ્છરજન્ય રોગો પણ થઈ રહયા છે તો સત્વરે સ્થળ તપાસ કરી વરસાદી પાણીના નિકાલની તથા આ પ્રશ્નનો કાયમી હલ થાય તે રીતે કાર્યવાહી કરી આપવા આ વિસ્તારના નગરસેવક પરેશ પંડ્યાએ મ્યુનિ. કમિશ્નર સમક્ષ રજૂઆત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application