ઉત્તર પ્રદેશના હાથરસ જીલ્લામાં 30 વર્ષ જૂના હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. હાથરસમાં એક ઘરના આંગણામાંથી હાલમાં માનવ હાડપિંજર નીકળ્યા હતા. આ કેસ 30 વર્ષ પહેલા થયેલી એક વ્યક્તિની હત્યા સાથે સંબંધિત છે, જેના પુત્રની જુબાનીના આધારે પોલીસે ઘરના આંગણામાં દાટેલા તેના મૃતદેહનું હાડપિંજર કબજે કર્યું હતું.
હાથરસમાં 30 વર્ષથી ગુમ બુદ્ધ સિંહને તેના પરિવારના સભ્યો અને સંબંધીઓ એક શહેરમાંથી બીજા શહેરમાં શોધી રહ્યા હતા. જેનું હાડપિંજર તેમના ઘરના આંગણાના ખોદકામ દરમિયાન મળી આવ્યું હતું. મૃતકના પુત્રનો આરોપ છે કે તેના બે ભાઈઓ અને માતાએ કેટલાક લોકો સાથે મળીને 30 વર્ષ પહેલા તેના પિતાની હત્યા કરી હતી અને લાશને આ જગ્યાએ દાટી દીધી હતી.જ્યારે આ હત્યા થઈ ત્યારે પુત્રની ઉંમર 6 વર્ષની આસપાસ હશે.
પુત્રનો એવો પણ આરોપ છે કે તે સમયે આ લોકોએ તેને ડરાવીને ચુપ કરી દીધો હતો. ધીરે ધીરે તે ઘટના ભૂલી ગયો, પરંતુ એક દિવસ જ્યારે તેના ભાઈએ નશાની હાલતમાં તેને આ વાત કહી ત્યારે તેને બધું યાદ આવી ગયું. આ પછી તેઓ પોલીસ સ્ટેશન કક્ષાએથી ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યા અને મામલાની ફરિયાદ કરી અને ખોદકામ કરાવવાની માંગ કરી. તેના કહેવા મુજબ આરોપીઓ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. આ આખો મામલો હાથરસ જિલ્લા પોલીસ સ્ટેશનના મુરસાન વિસ્તારના ગામ ગીલોદપુરનો છે.ગિનલોદપુરના રહેવાસી પંજાબી સિંહે તાજેતરમાં જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી આપી હતી. અરજીમાં પંજાબીએ જણાવ્યું કે 1 જુલાઈના રોજ તેનો તેના ભાઈ પ્રદીપ કુમાર અને મુકેશ કુમાર ઉર્ફે ખન્ના સાથે પૈસાની લેવડ-દેવડને લઈને વિવાદ થયો હતો. આના પર આ બંને ભાઈઓએ તેમને કહ્યું કે અમે તને પિતા બુદ્ધ સિંહ પાસે મોકલી દઈશું, જેમ અમે 30 વર્ષ પહેલા કર્યું હતું. પંજાબી સિંહે પોતાની અરજીમાં જણાવ્યું કે તે સમયે તે બાળક હતો અને ધીરે ધીરે આ વાત ભૂલી ગયો. તે હવે કહી શકશે કે આ લોકોએ તેના પિતાની હત્યા કરીને તેને ક્યાં દફનાવ્યા હતા.તેમને બતાવેલા સ્થળે ખોદકામ બાદ હાડપિંજર બહાર કાઢવામાં આવ્યું છે, જે બાદ આખરે 30 વર્ષ જૂના કેસના પદર્ફિાશ થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવધુ વિકલાંગ, અન્ય પર નિર્ભર દિવ્યાંગોને એફ.ડી. માં વધુ વ્યાજ આપો
May 24, 2025 10:51 AMશેંઝેન વિઝા રદ થતા ભારતીયોને ૧૩૬ કરોડનું નુકસાન
May 24, 2025 10:50 AMજામનગરની સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની જેલસજા
May 24, 2025 10:49 AMઅમેરિકાથી મોકલાતા નાણા પર હવે આટલા ટકા ટેક્સ લાગશે
May 24, 2025 10:47 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech