માવઠાનું વાતાવરણ વિખેરાતા શહેરના તાપમાનમાં સતત થઈ રહેલો વધારો

  • May 15, 2025 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

  ભાવનગર શહેર - જિલ્લામાં માવઠાની આગાહી વચ્ચે વરસાદે આજે બુધવારે બપોર સુધી વિરામ લેતા અને સૂર્યનારાયણ પ્રકાશિત રહેતા લોકોને હાશકારો થયો હતો.માવઠાનું વાતાવરણ વિખેરાતા શહેરના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.શહેરમાં વધતી જતી ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.મહત્તમ તાપમાન વધીને ૩૭.૪ ડિગ્રી નોંધાયુ હતુ. લઘુતમ તાપમાન વધીને ૨૭.૭ ડિગ્રી રહયું હતું.ભેજ ૭૪ ટકા, પવનની ઝડપ ૬ કિ.મી. રહી હતી. 
  દક્ષિણ- પશ્ચિમ રાજસ્થાનમાં ઊભા થયેલા ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભાવનગર સહિત અનેક સ્થળોએ તા.૪થી ૧૫ મે સુધી  ૩૦થી ૪૦ કિ.મી.ની ઝડપે પવનની સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે.આથી ખેડૂતો અને લોકોને સાવચેતી રાખવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જો કે માવઠાથી ખેડૂતોને તેના ઉનાળુ પાક અને કેરીના પાકમાં નુકસાન થયું છે.ખેડૂતો કમોસમી વરસાદ હવે ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહયા છે.
  ભાવનગર શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં  મહત્તમ તાપમાન ૧.૭ ડિગ્રી વધતા  ગરમી વધી હતી. આભમાંથી અંગારા વરસ્યા હોય તેવી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. માવઠાનું વાતાવરણ વિખેરાતા ફરી ચાર દિવસથી તાપમાન વધતા ગરમી વધી છે.  સખ્ત ગરમીના કારણે ઠંડા પીણા, આઈસક્રીમની ખપત વધી છે. ઠંડી છાશ,લસ્સી,લીંબુ સરબત, વરિયાળી સરબત,નારિયેળ પાણી,તરબૂચ, 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application