યાત્રાધામ દ્વારકામાં આવેલ સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી દિપાવલી પર્વ તેમજ નૂતન વર્ષ ભાઈબીજ સહિતના ઉત્સવોની પરંપરાગત ઊજવણી કરવામાં આવનાર છે. દિપાવલી પર્વના ઉત્સવોની ઊજવણીને અનુલક્ષીને જગતમંદિરમાં શ્રીજીના દર્શન ક્રમમાં જરૂરી ફેરફાર નોંધાયાનું મંદિર વહીવટદાર તેમજ મંદિરના વારાદાર પૂજારીની યાદીમાં જણાવાયું છે. દીપોત્સવી પર્વ નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં વિવિધ દર્શનના સમયમાં ફેરફાર થયા છે.
આગામી દિવસોમાં શરૂ થતા દિવાળીના પર્વને અનુલક્ષીને દ્વારકાધીશ મંદિરમાં થતા વિવિધ દર્શનના સમયમાં ફેરફાર સાથેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે દ્વારકાધીશ મંદિર વહીવટદાર કચેરીની યાદીમાં જણાવાયા મુજબ ધનતેરસ નિમિત્તે બુધવાર તારીખ ૩૦ ના રોજ સવારે ૬:૩૦ વાગ્યે મંગળા આરતી બાદ બપોરે ૧ થી ૫ અનોસર (મંદિર બંધ), ૫ વાગ્યે ઉત્થાપન તેમજ રાત્રે પોણા દસ વાગ્યે અનોસર (મંદિર બંધ) થશે. રૂપ ચૌદશ તથા દિવાળીની ઉજવણીના ભાગરૂપે ગુરુવાર તા. ૩૧ મી ના રોજ સવારે ૫:૩૦ વાગ્યે મંગળા આરતી, બપોરે ૧ થી ૫ અનોસર, સાંજે ૫ વાગ્યે ઉત્થાપન, રાત્રે ૮ વાગ્યે હાટડીના દર્શન તેમજ ૯:૪૫ વાગ્યે શયન (મંદિર બંધ) થશે.
અન્નકૂટ ઉત્સવના દર્શન શુક્રવાર તારીખ ૧ નવેમ્બરના રોજ થશે. જેમાં સવારે ૬, વાગ્યે મંગળા આરતી, ૧ થી ૫ અનોસર, સાંજે ૫થી ૭ અન્નકૂટના દર્શન બાદ પોણા દસ વાગ્યે મંદિર બંધ થશે. નૂતન વર્ષ નિમિત્તે શનિવાર તારીખ ૨ ના રોજ સવારે ૬:૩૦ વાગ્યે મંગળા આરતીના દર્શન અને ૧થી ૫ અનોસર, ૫ વાગ્યે ઉત્થાપન અને રાત્રે ૯:૪૫ વાગે અનોસર થશે. ભાઈબીજ નિમિત્તે રવિવાર તા. ૩ના રોજ સવારે ૬:૩૦ વાગ્યે મંગળા આરતી, ૧ થી ૫ અનોસર, અને ૫ વાગ્યે ઉત્થાપન બાદ રાત્રે ૯:૪૫ વાગે અનોસર થશે તેમ દ્વારકાધીશ મંદિરના વહીવટદારને એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમોટા મવા-મવડી વચ્ચેના ન્યુ ઓમ નગરમાં કોરોનાનો કેસ મળ્યો; ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી
May 22, 2025 03:09 PMપંજાબ-હરિયાણા હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વકીલો પાસે પરિસર ખાલી કરાવાયું
May 22, 2025 02:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech