જામનગરના ૧૪૦૪ આવાસમાં હજુ પણ અનેક લોકો વસવાટ કરી રહ્યાં છે, જે ઈમારત ભયજનક છે. આથી આગામી ચોમાસા ની સીઝનને ધ્યાનમાં રાખી આ આવાસમાં વપરાશ બંધ કરવા ફલેટ ધારકો ને જાહેર નોટિસ થી તાકીદ કરવામાં આવી છે.
અંધાશ્રમ પાસેના ૧૪૦૪ આવાસ યોજનાના મકાનોની જાળવણી મરામત કરવાની જવાબદારી ફલેટ (આવાસ) ધારકની છે. પરંતુ અનેક ફલેટમાં જાળવણી કરવામાં આવી નથી. જુન-ર૦ર૩ માં આ ઈમારતને ભયજનક જાહેર કરવામાં આવી હતી અને વપરાશ બંધ કરી આવાસ ખાલી કરી આપવા સૂચના પણ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી. આ પછી વખતો વખત રહેવાસીઓ સામે મિટિંગ પણ કરવામાં આવી હતી. જેમાં પણ સૂચના અપાઈ હતી.
આગામી ચોમાસાની મૌસમ ને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે આવાસનો વપરાશ બંધ કરવાનો રહેશે , અન્યથા જો કોઈ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી મહાનગરપાલિકા ની નહીં, પરંતુ આવાસ ધારક.ની રહેશે તેમ મહાનગરપાલિકા ના સિટી ઈજનેર દ્વારા જાહેર નોટીસ મારફત જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech