મારી ગાડીના કાચ તમારા સમાજના લોકોએ જ તોડ્યા, કહી યુવાનને હડધૂત કરી ધમકી

  • June 16, 2025 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ભગવતીપરા વિસ્તારમાં આવેલી સુખસાગર સોસયટીમાં રાત્રીના ત્રિપુટીએ હથિયાર સાથે યુવાનના ઘરે ધસી જઇ ધમાલ મચાવી હતી.મારી ગાડીના કાચ તમારા સમાજના લોકોએ તોડી નાંખ્યા છે કહી યુવાનને જ્ઞાતિ અંગે હડધૂત કરી ધમકી આપી હતી.જે અંગે યુવાનની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


બનાવ અંગે ભગવતીપરા મેઈન રોડ પર સુખસાગર સોસાયટી શેરી નં.૫ માં રહેતાં ચીરાગભાઈ દલાભાઈ વાઘેલા (ઉ.વ.૨૮) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઈમ્તિયાઝ ઈબ્રાહીમ મુકાસરા, ઈમ્તિયાઝની પત્ની અને ઈમ્તિયાઝનો નાનો ભાઈ શાહિદનું નામ આપ્યા છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે કેસરી પુલ પાસે લક્ષ્મી ડ્રાયવિંગ સ્કૂલ નામની ડ્રાયવિંગની સ્કૂલ ચલાવે છે. તે પરીવારમાં તેની માતા કુસુમબેન, પિતા પિતા દલાભાઈ ઉર્ફે દિલીપભાઈ જે આર.એમ.સી.માં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે, નાનો ભાઈ અક્ષય જે ડ્રાયવિંગનું કામ કરે છે અને તેના પત્ની કોમલબેન સહિતના લોકો રહે છે. તેમજ તેમની બાજુની સોસાયટી અંબીકાપાર્ક શેરી નં.-૦૧, ભગવતીપરામાં ઇમ્તિયાઝ મુકાસરા તેના પરિવાર તેમજ અન્ય સગા વ્હાલાઓ સાથે રહે છે અને તેના નાનોભાઇ જાહિદ જે અલગ તેના પરિવાર સાથે અન્ય જગ્યાએ રહે છે.


ગઈ તા.૧૪ ના રાત્રીના બારેક વાગ્યાની આસપાસ લાઈટ ન હોય જેથી તેઓ અને પરિવારનાં સભ્યો ઘરની આગળ બેઠા હતા તે દરમિયાન ઇમ્તિયાઝ તેના પત્ની તથા તેનો ભાઈ જાહીદ જેની સાથે એક સ્ત્રી હતી તે બધા ત્યાં આવેલ અને બંને ભાઈઓએ કહેલ કે, મારી ગાડી મારા ઘર પાસે પડી હતી તેનો કાચ તમારા જ સમાજના કોઇ વ્યક્તીએ તોડી નાખેલ છે, તે વખતે ફરિયાદીએ જણાવેલ કે, અમને આ બાબતની ખબર નથી જો તમને આ કાચ કોણે તોડયો છે તેની માહીતી હોય તો અમને કહો જો અમારા સમાજનો હશે તો અમે તેને લઇ આવીયે, તે વખતે જાહીદે ધમકાવતા કહેલ કે તારો બાપ તમારા સમાજનો આગેવાન છે હું કંઈ જાણું નહી, ગમે ત્યાંથી તેને હાજર કરો નહી તો તમને લોકોને અહિં રહેવા દઈશું નહી, તેમ કહી બંને ભાઇઓ ગાળા ગાળી પર ઉતરી ગયેલ અને સમાજ વિશે પણ અભદ્ર ટીપણી કરી હડધૂત કરી કહેલ કે, સવાર સુધીમાં જો આ છોકરો હાજર ન થયો તો તમારા બધાના મકાન ખાલી કરાવી નાખીશ. બાદમાં લોકો એકઠાં થતાં બંને નાસી છૂટ્યા હતાં.


બાદમાં તે સમયે ઘરથી થોડે દુર આગળની શેરીમાં રહેતા મોનીકાબેન ચૌહાણ શેરીમાં રહેલ રખડતા શ્વાનના ડરથી ભાગીને પોતાના ઘરે જતા હતા તે સમયે ઇમ્તિયાઝ અને અન્ય શખ્સોને એવું લાગેલ કે મોનિકાબેન કંઇક જાણે છે અને તેથી પોતે ભાગી રહી છે તેમ સમજી તેમની સાથે ઝઘડો કરવા લાગેલ અને તેમને પણ કહેવા લાગેલ કે, તું કંઇક જાણે છે, કોણે મારી ગાડીના કાચ તોડયા છે, તેમ કહીં ગાળો દેવા લાગેલ જે વાત મોનીકાબેને તેઓને જણાવેલ હતી. દરમિયાન તેઓએ ૧૦૦ નંબર ઉપર ફોન કરી પોલીસને જાણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application