સ્વ.વિજયભાઈન રૂપાણીના ઘરે હજારો લોકો અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા. ત્યારે મહિલાઓએ રામધૂન અને શ્રીકૃષ્ણ શરણમ મમઃ મંત્રજાપ કર્યો હતો. વિજયભાઈનો પાર્થિવદેહ તેમના પ્રકાશ સોસાયટી સ્થિત ઘરે પહોંચ્યો હતો. અમિત શાહ, ભુપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ, રાજ્યપાલ સહિતના નેતાઓએ સ્વ. વિજયભાઈ રૂપાણીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બાદમાં પોલીસ દ્વારા રાજકીય સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બાદમાં અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. હવે રાજ્યના પૂર્વ સીએમ અંતિમ સફરે નીકળી ગયા છે. તેમની અંતિયાત્રા શરૂ થઈ ગઈ છે અને લોકો વરસતા વરસાદમાં તેમની શબવાહિનીની આગળ ચાલી રહ્યા છે.
બાદમાં વિજયભાઈ રૂપાણી અંતિમ સફરે નીકળી ગયા છે. અંતિમયાત્રા શરૂ થતા જ લોકોએ વિજયભાઈ અમર રહોના નારા લગાવ્યા હતા.
અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. સાથે અમિતશાહ, સી.આર. પાટીલ, સીએમ ભુપેન્દ્ર, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ જોડાયા છે. અંતિમયાત્રા રામનાથપરા સ્મશાન ખાતે પહોંચશે અને ત્યાં સ્વ.વિજયભાઈ રૂપાણીના અંતિમસંસ્કાર કરવામાં આવશે.
અંતિમયાત્રા અપડેટ્સ
- અંતિમયાત્રામાં વિજયભાઈ અમર રહોના નારા ગુંજી ઊઠ્યાં
- પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અંતિમયાત્રા
- ફાયરબ્રિગેડના જવાનોએ સ્વ.વિજયભાઈના પાર્થિવદેહને સલામી આપી
- સ્વ.વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
- વરસતા વરસાદમાં પણ અંતિમ દર્શન માટે કોટેચા ચોકમાં લોકો ઉમટી પડ્યા
-રૂપાણી પરિવારને સાંત્વના પાઠવતા મહિલાઓ ચોધાર આંસુએ રડી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech