આઠ દિવસ પહેલા પત્નીએ ફાંસો ખાઈ લેતા વિયોગમાં પતિએ ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી જિંદગી ટૂંકાવી

  • May 01, 2025 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલના નવાગામમાં યુવકે ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે, આઠ દિવસ પહેલા જ પત્નીએ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી તેના વિયોગમાં પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.


ઘરે ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી લીધો

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના નવાગામમાં રહેતા ભાણજીભાઇ મુળજીભાઈ રાઠોડ (ઉ.વ.43)ના યુવકે સાંજે ઘરે ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી લેતા ઉલ્ટીઓ કરવા લાગતા તાકીદે પ્રથમ ગોંડલ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે સુલતાનપુર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.


કારખાનામાં મજૂરી કામ કરતો

મૃતક એક ભાઈ એક બહેનમાં મોટા હતા અને કારખાનામાં મજૂરી કામ કરતા હતા, દંપતી વચ્ચે ગૃહ ક્લેશ થતો હોવાના કારણે આઠ દિવસ પહેલા પત્ની ગાયત્રીબેનએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું લાગી આવતા યુવકે પણ આયખું ટૂંકાવી લીધું હતું. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application