​​​​​​​જામનગર: ચોમાસા પહેલા રણમલ તળાવની સફાઇ જરૂરી: દિવાલ ફરતે ઝાડ ઉગી નીકળ્યા

  • June 04, 2026 11:40 AM 

​​​​​​​જામનગર: ચોમાસા પહેલા રણમલ તળાવની સફાઇ જરૂરી: દિવાલ ફરતે ઝાડ ઉગી નીકળ્યા

જામનગર શહેરની મઘ્યમાં રાજાશાહી વખતનું રણમલ તળાવ બન્યું છે, શહેરની શાન સમા રણમલ તળાવમાં દિવાલ ફરતે કેટલાક ઝાડો ઉગી ગયા છે, કેનાલમાંથી પણ કચરો આવે છે, એ પણ એકઠો થયો છે, હાલમાં પ્રી-મોન્સુનની કામગીરી ચાલી રહી છે ત્યારે તાત્કાલિક અસરથી ચોમાસુ શરૂ થાય તે પહેલા રણમલ તળાવની સાફસફાઇ કરવી જરૂરી છે. મહાપાલિકાના અધિકારીઓએ શહેરની મઘ્યમાં જેની રોનક છે એવું આ તળાવ સ્વચ્છ કરવા માટે તાત્કાલિક કામગીરી કરવી જોઇએ એવુ લોકો પણ કહે છે કેનાલોમાંથી અવાર નવાર કચરો તળાવમાં એકઠો થાય છે, માટે તળાવમાંથી પણ દુર્ગંધ આવે છે ત્યારે પ્રીમોન્સુનની કામગીરીમાં જ આ તળાવને સ્વચ્છ બનાવવું જોઇએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application