જિલ્લા રોજગાર કચેરી દ્વારા યોજાયેલ ભરતી મેળામાં ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
દેશના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષના કાર્યકાળ નિમિતે 7 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણીનું આયોજન હાથ ધરાયું છે. જે અંતર્ગત તા.11/10/2024 ના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જામનગર દ્વારા દરેક યુવાનોને રોજગારના ધ્યેય સાથે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં 281 રોજગારવાંચ્છું ઉમેદવાર ભાઈઓ બહેનો તેમજ 33 જેટલા ખાનગી એકમોના નોકરીદાતાશ્રીઓ હાજર રહેલ.
આ જોબફેરની શરૂઆતમાં રોજગાર અધિકારી કું.સરોજબેન સાંડપા દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ અને જોબફેર વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવેલ.અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલ શ્રી આદર્શ બસેર, નાયબ કલેક્ટરશ્રી, સ્ટેમ્પ ડયુટી દ્વારા જોબફેર વિશે રોજગારીની તકો બાબતે ઉમેદવારો અને નોકરીદાતાઓને પ્રેરણાપ માર્ગદર્શન આપવામાં આવેલ અને વિવિધ નોકરીદાતાઓ દ્વારા પણ તેઓની કંપનીઓની પ્રાથમિક માહિતી પણ ઉમેદવારોને આપવામાં આવેલ.
આ જોબફેરમાં 33 જેટલી ખાનગી એકમોના નોકરીદાતાશ્રીઓ દ્વારા હાજર રહેલ 281 ઉમેદવારોનું સ્થળ પર જ ઈન્ટરવ્યું લેવામાં આવેલ. જેમાં જોબફેરના અંતે 255 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ.જોબફેરના અંતે ઔધોગિક તાલીમ સંસ્થા, જામનગરના આચાર્ય વિ.કે.ગાગિયા દ્વારા કાર્યક્રમની આભારવિધી કરવામાં આવેલ.રોજગાર કચેરી, જામનગરના તમામ સ્ટાફની જહેમત દ્વારા આ જોબફેર સફળતાપૂર્વક સંપન્ન થયેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMઈસ્કોનબ્રિજ અકસ્માત: તથ્ય પટેલને માતાની સારવાર માટે 4 દિવસના હંગામી જામીન મંજૂર
May 23, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech