3 મહિના જુના ભૂગર્ભ ગટરના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે કલેકટરનો આભાર: અરજદાર (તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ)

  • April 23, 2025 05:17 PM 

જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં જામનગર શહેર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ન્યુ જામનગર સોસાયટીમાં રહેતા રહેવાસીઓએ ભૂગર્ભ ગટર છલકાવવાના પ્રશ્ન બાબતે જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરી હતી. અને કલેકટરએ તેમનો પ્રશ્ન સાંભળી હકારાત્મક નિરાકરણ લાવ્યું હતું.

ન્યુ જામનગર સોસાયટીમાં રહેતા મહિલાએ જણાવ્યું હતું કે તેઓની સોસાયટીમાં છેલ્લા ત્રણ મહિનાથી ભૂગર્ભ ગટરનું પાણી ભરાઈને બહાર નીકળવાનો પ્રશ્ન હતો. જેના પરિણામે મચ્છર અને દુર્ગંધ ફેલાતી હતી. માટે કલેકટરને રજૂઆત કરતા આ પ્રશ્નનું ૭ દિવસમાં કાયમી નિરાકરણ આવી જશે તેમ જણાવ્યું છે. તે બદલ અમે સંતોષ વ્યક્ત કરીએ છીએ અને કલેકટરનો આભાર વ્યક્ત કરીએ છીએ. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application