ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સચાણામાં માછીમારોને સુરક્ષા મામલે જાગૃત કરાયા

  • October 31, 2025 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સચાણામાં માછીમારોને સુરક્ષા મામલે જાગૃત કરાયા


​​​​​​​ભારતીય કોસ્ટ ગાર્ડ સ્ટેશન વાડીનાર દ્વારા સચાણા ગામમાં એક ખાસ સમુદાય વાર્તાલાપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સીઆઇપીમાં ૧૦૦ સ્થાનિક માછીમારો, મત્સ્ય વિભાગ, મરીન પોલીસ અને અન્ય હિસ્સેદારોએ હાજરી આપી હતી. માછીમારોને વર્તમાન હવામાન પરિસ્થિતિઓ, દરિયામાં જીવનની સલામતી વિશે માહિતી આપવામાં આવી હતી અને દરિયામાં આગળ વધતી વખતે જીવન બચાવનારા સાધનો અને ઉપકરણો સાથે રાખવાની સલાહ આપવામાં આવી હતી.

​​​​​​​માછીમાર સમુદાયને ટોલ ફ્રી નંબર ૧૫૫૪ અને ૧૯૯૩ વિશે જાગૃત કરવામાં આવ્યો હતો અને ભારતીય કોસ્ટ ગાર્ડ/અન્ય સુરક્ષા એજન્સીઓને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિની માહિતી આપીને સમુદ્રમાં આંખ અને કાન તરીકે કાર્ય કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application