યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને આજે અક્ષય તૃતીયા નિમિત્તે ઋતુનુસાર ચંદન વાઘાનો વિશેષ શૃંગાર કરવામાં આવશે. જગતમંદિરમાં દ્વારકાધીશ રાજાધીરાજને પરંપરાગત વસ્ત્ર પરિધાનને બદલે ઋતુનુસાર શીતલ ઠંડક માટે ચંદન વાઘા સાથેના પરિધાન કરવામાં આવશે.
વર્તમાન યુગમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા લોકો પંખો, એર ક્ધડીશન્ડ તથા અન્ય ઈલેકટ્રોનીક ઉપકરણોનો સહારો લેતાં હોય છે જયારે જગતમંદિરમાં કાળીયા ઠાકોરને ગરમીથી બચવા માટે પુજારી પરિવાર દ્વારા શિતળતાનો અહેસાસ કરાવતાં ચંદન વાઘાનો શૃંગાર કરીને પુષ્પ શૃંગારની શરૂઆત કરવામાં આવે છે. પૃષ્પશૃંગાર દર્શન મનોરથ ગુજરાતી કેલેન્ડર વર્ષ મુજબ વૈશાખ સુદ-૩ થી અષાઢ સુદ-૧ સુધી સતત બે માસ સુધી ચાલશે.
જગતમંદિરમાં ચંદન વાઘાના દર્શન વર્ષમાં માત્ર અક્ષય તૃતીયાના દિને જ થાય છે.સાથે શ્રીજીને રાજાધિરાજ શૃંગાર દર્શનનો ગ્રીષ્મ ઋતુ પહેલાંનો આજે છેલ્લો દિવસ છે. અન્ય દેવાલયોની જેમ દ્વારકાધીશ મંદિરમાં પણ સૂર્યોદય અનુસાર આજે તા.૧૦ ને શુક્રવારે ઉઠ્યાત કાળમાં જગતમંદિરમાં અક્ષય તૃતીયા પર્વની ઊજવણી કરવામાં આવશે. બપોરે ૧૨.૦૦ કલાકે શ્રીજીની વિશેષ શૃંગાર આરતી યોજવામાં આવશે અને બપોરે ૧.૩૦ કલાક સુધી દર્શન થશે.
ભગવાન દ્વારકાધીશજીને ઠંડા ભોગ અર્પણ કરાશે ગરમીની ઋતુથી બચવા અને શીતળતા પ્રદાન કરવા શ્રીજીને ઠંડા ભોગ એટલે કે મુરબ્બાનું અથાણું, કેરી તથા અન્ય સામગ્રીથી બનાવેલ ગરમાળું, શીખંડ, ખારી મગની દાળ, ચણાની મીઠી દાળ આ પ્રકારના ઠંડા ભોગ અર્પણ કરવામાં આવે છે. આ દિવસે સામાન્ય સંજોગોમાં હિન્દુ સમાજના લોકો માટે અતિ શુભ હોય વાસ્તુપૂજા, લગ્નવિધિ, ગૃહપ્રવેશ વગેરે શુભ કાર્યો કરવા માટે ઉત્તમ દિન ગણાય છે અને સમગ્ર દિવસ દરમ્યાન કોઈપણ શુભકાર્ય થઈ શકે તેમ દ્વારકાધીશ જગત મંદિરના પ્રણવભાઇ પુજારીએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech