ખંભાળીયા: જામખંભાળિયા નગરપાલિકાના સેનીટેશન સમિતિ ચેરમેનનો સપાટો

  • August 18, 2026 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા: જામખંભાળિયા નગરપાલિકાના સેનીટેશન સમિતિ ચેરમેનનો સપાટો

૨૨ જેટલા ગુટલીબાજ સફાઈ કામદારોની ગેરહાજરી પૂરાઈ

ખંભાળિયા નગરપાલિકાના સેનીટેશન સમિતિના ચેરમેન પુષ્પાબેન મોહિતભાઈ વાઘેલા દ્વારા સોમવારે સવારે વોર્ડ વાઇઝ સફાઈ કામગીરીનું જાતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

તેમના દ્વારા વોર્ડ સુપરવાઇઝરો પાસેથી સફાઈ કામદારોની હાજરીના ડેઇલી રિપોર્ટ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ૨૨ જેટલા ગુટલીબાજ સફાઈ કામદારો ગેરહાજર જણાતા તેમના દ્વારા આવા સફાઈ કામદારોની જાતે જ ગેરહાજરી પૂરવામાં આવી હતી. આ ઉપરાંત વોર્ડ નં. ૮ તથા વોર્ડ નં. ૯ ના વોર્ડ મુકાદમો પોતાની ફરજમાં ગેરહાજર માલુમ પડતા ફરજમાં બેદરકારી દાખવવા બદલ આ મુકાદમોને નોટીસ આપી ખુલાસો માંગવા ચીફ ઓફિસરને ટેલિફોનીક જાણ કરવામાં આવી હતી.

ખંભાળિયા નગરપાલિકામાં લાંબા સમય બાદ પ્રથમ વખત આ પ્રકારે સેનીટેશન સમિતિના ચેરમેનના ઓચિંતા સરપ્રાઈઝ ચેકીંગથી ગુટલીબાજ સફાઈ કામદારો માં ફફડાટ ફેલાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application