BREAKING NEWS

પાકિસ્તાનની નાપાક હરકતઃ જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં 15 પાકિસ્તાની ડ્રોન ઘૂસ્યા, ભારતીય સેનાના ગોળીબાર બાદ નાસી છૂટ્યા

  • January 30, 2026 05:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે પાકિસ્તાને ફરી નાપાક હરકત કરી હતી. ઉત્તર કાશ્મીરના કુપવાડામાં કેરન સેક્ટરના જોધા મકાન બિરંદોરી વિસ્તાર નજીક લગભગ 15 પાકિસ્તાની ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા, જેના પગલે સેનાના જવાનોએ ઝડપી કાર્યવાહી કરી કારણ કે આ ડ્રોન ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી રહ્યા હતા.


સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેવાની 06 રાષ્ટ્રીય રાઇફલ્સના સૈનિકોએ પાકિસ્તાની ડ્રોનને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા જોયા અને તેમના પર ગોળીબાર કર્યો. ભારતીય સૈનિકો દ્વારા ગોળીબાર બાદ, આ ડ્રોન તરત જ તેમના ક્ષેત્રમાં પાછા ફર્યા હતા.


અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. કુપવાડામાં પાકિસ્તાની ડ્રોન ઘૂસણખોરી અંગે સંરક્ષણ મંત્રાલયે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application