જિલ્લ ા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્રારા તાલાલા તાલુકાના બોરવાવ ગામે આશરે ૧૫૦ હેકટર ગૌચર અને સરકારી પડતર જમીન ખુલ્લ ી કરાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પડતર જમીનની અંદર ૧૩૦ જેટલા આસામીઓ દ્રારા અનઅધિકૃત રીતે દબાણ કરવામાં આવ્યું હતું. જિલ્લ ા કલેકટરની હાજરીમાં જ તબેલાની ભેંસોને ગૌચરમાં દબાણ કરી બેસેલા ખેતરમાં ખૂલ્લ ી છોડી દેવામાં આવી હતી. તદુપરાંત, કલેકટરદ્રારા હિરણ નદીના કિનારે ચેકડેમ પાસે બિન નંબરી સરકારી સર્વે નંબરમાં વૃદ્ધાશ્રમના નામે બિનઅધિકૃત રીતે બનાવેલ બાંધકામને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ માટે કલેકટરની સૂચના અનુસાર પાંચ ટીમોનું આયોજન કરી રેવન્યૂ વિભાગ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી, એસીએફ ફોરેસ્ટ, પોલીસ વિભાગ, પીજીવીસીએલ તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ– કર્મચારીઓના સંકલનથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત, ઈંટ બનાવવાનું કારખાનું, ત્રણ રિસોર્ટ, પાંચ ગોળ બનાવવાના રાબડા, બે ઘાસ ભરવાના ગોડાઉન, છ સાદા ગોડાઉન સહિતના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, કલેકટર દ્રારા બોરવાવ આંગણવાડીની મુલાકાત પણ લેવામાં આવી હતી. આ આંગણવાડીમાં કલેકટરની ગ્રાન્ટમાંથી બ્લોક નાંખવામાં આવેલ છે, જેનું પણ કલેકટરએ નિરીક્ષણ કયુ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech